________________
७९
ગણધરવાદ
આપણા ભગવાન બધા ક્ષત્રિયો છે. ગૌતમસ્વામી વગેરે ગુરૂ બધા બ્રાહ્મણ છે અને એ ધર્મને આચરનારા વૈશ્ય (વહેપારી) છે. આ એક વિશેષતા છે.
ભગવાન જ્યારે અપાપાપુરીમાં પધાર્યા છે ત્યારે દેવો બધા તેમને વંદન કરવા માટે આવી રહ્યા છે... નજીકના જ પ્રદેશમાં ઈન્દ્રભૂતિ વગેરે ૪૪૦૦નો પરિવાર યજ્ઞમંડપમાં બેઠેલો છે. ઈન્દ્રભૂતિ દેવોને આવતા જોઈને મનમાં ફૂલાય છે કે મારા યજ્ઞની કીર્તિ દેવો સુધી પણ ફેલાઈ ગઈ છે માટે દેવો મારા યજ્ઞમંડપમાં આવી રહ્યા છે પણ દેવો તો યજ્ઞમંડપને વટાવીને આગળ નીકળી ગયા. એટલે વળી પાછા વિચારે ચડે છે કે આ દેવો કયાં જઈ રહ્યા છે ? શું કોઈ બીજો વાદી આટલામાં છે કે શું ? બધા વાદીઓને હરાવતાં કોઈ બાકી રહી ગયો લાગે છે. લાવ તેની પાસે જાઉં અને તેને હરાવીને હું અજિત બનું... એમ વિચારીને ભગવાનની પર્ષદામાં આવે છે. દેશના ચાલી રહી છે જો કે એ તો ભગવાનને હરાવવા માટે આવ્યા હતા... પણ જ્યાં ભગવાનને જુએ છે કે ઠરી જાય છે... કારણ કે તેમની પાસે વિદ્યાનું બળ હતું, તો ભગવાનની પાસે સાધનાનું બળ હતું. પરોપકારવૃત્તિનું તેજ હતું. સ્વાર્થનું તેજ કાળું છે નિસ્વાર્થ-પરોપકારનું તેજ ઉજ્જવળ છે. ભગવાન ઈન્દ્રભૂતિને કહે છે કે ઈન્દ્રભૂતિ ગૌતમ પધારો... પધારો... ઈન્દ્રભૂતિ ચમકે છે કે મારું નામ આમને કેવી રીતે જાણ્યું ? પાછું વળી પોતાની જાતને સમજાવે છે કે દુનિયામાં હું સર્વત્ર પ્રખ્યાત છું મને કોણ ન જાણે ? પણ જો મારા મનમાં રહેલી શંકાને દૂર કરે તો તેમના શરણે જાઉં...
ઈન્દ્રભૂતિ ગૌતમની શી શંકા હતી તથા તે શંકા શેમાંથી ઉત્પન્ન થયેલી ?— વેદમાં એક વાકય આવે છે કે - વિજ્ઞાનયન દ્વૈતેખ્યો તેભ્યઃ સમુત્યાય તાન્યેવાનુંવિનવૃત્તિ, 7 પ્રેત્યસંજ્ઞાઽસ્તિ । આનો અર્થ ઈન્દ્રભૂતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org