________________
ઉપ
શ્રાવકનું પાંચમું કર્તવ્ય છે - ચૈત્યપરિપાટી.
ચૈત્ય એટલે જિનાલય-જિનપ્રતિમા, જિનેશ્વરો આપણા અનન્ય ઉપકારી છે. આગળના ચાર કર્તવ્યોનો ઉપદેશ આપનાર પણ તીર્થકરો જ છે. ઘણા લોકો એમ કહે છે કે આપણે પ્રભુ ભક્તિ કરવી, કે જિનમંદિર વિગેરે બંધાવવામાં નથી માનતા, પણ અનુકંપામાં જ માનીએ છીએ. એ ન ચાલે. ગરીબોને દાન આપવું, હોસ્પીટલમાં દર્દીઓની સેવા કરવી વિગેરે અનુકંપાના ધર્મ પણ આચરવા જેવા છે એનો જૈન શાસ્ત્રોએ નિષેધ નથી કરેલો, પણ આ અનુકંપાનો ધર્મ ઉપદેશ્યો કોણે? જિનેશ્વરોએ જ ને ! તો એમની ભક્તિ ભૂલી જવાય? એમણે અનુકંપાનો ધર્મ બતાવ્યો જ નહોત તો તમે ગરીબોની સેવા પણ કેવી રીતે કરી શકત ? માટે જ જિનમંદિરો અને એમાં બિરાજતા જિનેશ્વરની ભક્તિ આપણે ઉપકારી ભાવથી કૃતજ્ઞતા અદા કરવાની છે. પાંચમની ચોથ...
જે ભગવાનથી આપણે બધું પામ્યા છીએ એ ભગવાનના દર્શન સંધે સાથે મળીને કરવા જોઈએ. આમ તો પહેલાં પાંચમની સંવત્સરી હતી. પણ ચૈત્યપરિપાટી માટે જ ચોથ કરવામાં આવેલી.. કાલિકાચાર્ય એક નગરમાં ચોમાસું રહ્યા છે. ત્યાંનો રાજા આચાર્ય ભગવંતનો અનુરાગી હતો... આચાર્ય ભગવંતે રાજાને ચૈત્યપરિપાટીમાં હાજરી આપવા માટે કહ્યું. પરંતુ રાજાએ કહ્યું કે પાંચમના દિવસે પ્રજાનો ઈમહોત્સવ છે તેથી મારે ત્યાં પહેલી હાજરી આપવી પડે. માટે જો એક દિવસ આગળ અથવા એક દિવસ પાછળ રાખો તો હું હાજરી આપી શકું. રાજા જેવો રાજા જો હાજરી આપતો હોય તો ધર્મપ્રભાવના સારી થાય એમ જાણી આચાર્ય
ભગવંતે કહ્યું કે રાજન્ ! પાંચમની છઠ્ઠ તો ન થઈ શકે પણ ચોથ કરી તે શકું અર્થાત ચોથે ચૈત્યપરિપાટી રાખું. રાજાએ હા પાડી. આમ પાંચમની 6 ( ચોથ કાલિકાચાર્યે કરેલી...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org