SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧ T. હવે વેપાર વગેરે ઠરીઠામ થયો છે અને આ રાજાનું તેડું કેમ આવ્યું? , રાજપુરુષોએ તેને દુકાને પણ નહીં જવા દેતા રાજા પાસે લઈ ગયા. રાજાએ તેને પૂછ્યું કે અરે ! પેથડ તે આજે ઘી કેમ ન આપ્યું? પેથડ બોલ્યો હે દેવ ! તે વખતે હું દુકાને નહોતો પરંતુ મારો પુત્ર હતો. તેણે કેમ ન આપ્યું ? તે હું જાણતો નથી. તે સાંભળી રાજાએ તેના પુત્રને લેવા માટે સેવકોને મોકલ્યા. પેથડ વિચારવા લાગ્યો કે અહો ! આજે મેં પુત્રને શા માટે દુકાને રાખ્યો? અથવા તો શું વિનાશ કાળે વિપરીત બુદ્ધિ ન થાય? પેથડ આ પ્રમાણે વિચાર કરે છે તેટલામાં સિંહબાળ જેવો નિર્ભય ઝાંઝણ રાજા પાસે આવ્યો. રાજાએ તેને ઘી ન આપવાનું કારણ પૂછ્યું ત્યારે તે નિર્ભય રીતે સ્પષ્ટ બોલ્યો કે તે સ્વામી! સામાન્ય માણસ પાસે પણ બે ચાર દિવસ ચાલે તેટલું ઘી સ્ટોકમાં હોય છે તો આપ જેવા દેશાધિપતિને ઘેર એક દિવસ ચાલે તેટલું પણ ઘી ન હોય, તે કેવું આશ્ચર્ય ? કદાચ કોઈ શત્રુએ અચાનક આવીને કિલ્લો ઘેરી લીધો હોય અને તે વખતે જો આપના કોઠારો ભરપુર ન હોય તો પ્રજાને બચાવશો કેવી રીતે ? આપને ત્યાં તો ઘીની નદીઓ વહેતી હોય... રાજા જેવા રાજા જો એક પ્રજાજન આગળ આમ ભીખ માંગશે તો પ્રજાનું રક્ષણ કોણ કરશે? બસ આપને આટલું કહેવા માટે જ મેં ઘીની ના પાડી હતી. રાજા તો તેની દીર્ઘદૃષ્ટિ અને નિર્ભયવાણી સાંભળીને મુગ્ધ બની ગયો. તેણે વિચાર્યું કે આ પિતા-પુત્ર મારા મંત્રીપદને લાયક છે. બન્નેનું રાજયોગ્ય સન્માન કર્યું. અને મંત્રી મુદ્રા આપી. પેથડમંત્રીની સાધર્મિકભક્તિ આ બાજુ પુણ્યના ઉદયથી સુવર્ણસિદ્ધિ પણ સફળ થઈ ચારે બાજુ દાનનો પ્રવાહ વહેતો કર્યો. સુવર્ણસિદ્ધિથી પાંચ લાખથી વધારે લક્ષ્મી ભેગી ન થઈ. ધર્મઘોષસૂરિ મહારાજ પેથડનો ઘણો વૈભવ સાંભળી અવંતી દેશમાં 6 જ આવ્યા. સૂરિજીની વધામણીના સમાચાર આપનારને પેથડે સુવર્ણની જીભ કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004819
Book TitleGuruvani 2
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherJinendraprabhashreeji
Publication Year
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy