________________
૫૯
- શ્રાવકો તો પેથડનો અને આચાર્ય ભગવંતનો સંવાદ જોયા કરે છે. આ જ પેથડમાં આચાર્ય ભગવંતે શું જોયું છે ? આપણને ઓછું કરવાનું કહે છે અને આને વધારવાનું કહે છે. છેવટે પેથડશાહ થાકયા, કહે સાહેબ હવે તમારે કરાવવું હોય તો કરાવો નહીંતર રહેવા દો... આચાર્ય મહારાજે ૫ લાખનું પરિગ્રહ પરિમાણ કરાવ્યું... આચાર્ય ભગવંત તો ત્યાંથી વિહાર કરી ગયા. માંડવગઢમાં પેથડ.
હવે આ બાજુ પેથડને ફરીથી પણ પુરું થતું નથી તેથી તેણે બીજો ધંધો કરવા વિચાર્યું. એ વખતે માંડવગઢની જાહોજલાલી હતી... બન્ને બાપદીકરો માંડવગઢ આવવા નીકળ્યા. ર૫ માઈલના ઘેરાવામાં આ શહેર વસેલું હતું. ચારેબાજુ કુદરતી પહાડો વચ્ચે ખાઈથી રક્ષાયેલું હતું. તેમાં પ્રવેશ કરવા માટે એક જ દરવાજો હતો. બન્ને જણા દરવાજા સુધી પહોંચ્યા,
જ્યાં દરવાજામાં પ્રવેશ કરવા જાય છે ત્યાં સામેથી કાળો નાગ આવતો જુએ છે. પેથડશાહ ખચકાયા. અરેરે ! અહીં પણ અપશુકન થઈ રહ્યા છે. ત્યાં સામેથી એક જયોતિષી આવતો હતો. તે મોટેથી બોલ્યો અરે ! મૂર્ખાઓ ઉભા શું રહ્યા છો, જલ્દી પ્રવેશ કરો. શુકન સુંદર થઈ રહ્યું છે, કાળા નાગ પર ચકલી નાચી રહી છે. એક ચકલી નાગ જેવા ભયંકર પ્રાણીને પણ વશ કરી રહી છે. તમે જો ખચકાયા ન હોત તો રાજા થાત. પણ હવે તાજ વિનાના રાજા થશો. માંડવગઢમાં આવ્યા. મીઠાનો વેપાર શરૂ કર્યો. ન્યાયનીતિથી કરે છે. ચારેબાજુ પેથડ લૂણીઓ તરીકે પ્રસિદ્ધ થયા. મીઠાની કમાણીમાંથી હવે ઘીનો વેપાર શરૂ કર્યો. તાજું-સુગંધીદાર અને વ્યાજબી ભાવે ઘી આપે છે. હવે પેથડ ઘીયો તરીકે પ્રસિદ્ધ થયા.
ભાગ્યના દરવાજા ઉઘડયા. એકવાર એક રબારણ ઘીનો ઘડો લઈને વેચવા ને આવી છે. ઉતાવળમાં ઘરેથી ઈંઢોણી લેવી ભૂલી ગઈ તેથી રસ્તામાંથી કોઈ 6 આ વેલડીના ઘાસની ઈઢોણી બનાવીને માથે ઉપાડીને આવે છે. પેથડને ત્યાં છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org