________________
૫૭
૪૯ પોઠો ચૂનાની ચકકીમાં નંખાવી. અને ઉપાશ્રયને સોના જેવા રંગવાળો બનાવ્યો. અને આ રીતે પોતાનું બોલેલું વચન પૂર્ણ કર્યું. એક પોઠ બધા દહેરાસરમાં મોકલાવી. સોના જેટલી કિંમતનું કેશર વાપરીને સોના જેવા રંગનો. સોના જેટલી કિંમતનો ઉપાશ્રય બંધાવ્યો. તેમના ભત્રીજાનું નામ સોનો હતું, એટલે તેનું નામ ‘સોનાનો ઉપાશ્રય’ પાડયું. આ રીતે સાધર્મિકની ભક્તિ કરી. યાંનો માણસ કયાં પૈસા ખરચી ગયો. સાધર્મિકની શેષ પેટમાં ગઈ હોય તો તે સાધર્મિકભક્તિ કરવા પ્રેરે છે. પ્રભાવનાનો અર્થ જ પર ભાવના' બીજાની ભાવનાને પ્રગટ કરવાની રીત. આ દેદાશાને પેથડ નામનો પુત્ર થયો. પુત્ર પણ પિતાની સાથે સુવર્ણસિદ્ધિમાં મદદ કરતો હતો. રોજ સોનું બનાવવું અને રોજ દાન આપી દેવું આ તેમનો નિત્યક્રમ હતો.
સમય વીતતો ચાલ્યો. પ્રથમિણી દેવી સાથે પેથડના લગ્ન થયા. પેથડને પણ ઝાંઝણ નામે પુત્ર થયો. નાનકડું કુટુંબ આનંદ-કિલ્લોલ કરી રહ્યું છે. ત્યાં અચાનક કાળરાજાએ કાળો કેર વર્તાવ્યો, એકવાર દેદાશાના પત્ની વિમલશ્રીએ પાંચમનો ઉપવાસ કરેલો. પારણામાં અમૃતના રસ જેવું ખીરનું ભોજન કરવા બેઠા. ત્યાં કોઈ માલણ પુષ્પ આપવા માટે આવી, તેણીએ તે ખીરનું ભોજન જોયું. તે માલણની દૃષ્ટિથી દુષિત થયેલી ખીર ખાવાથી વિમલશ્રીને વિસૂચિકાનો વ્યાધિ થયો અને થોડા જ સમયમાં તે કાળ કરી ગયા. દેદાશાને ખૂબ જ આઘાત લાગ્યો. આધાતમાં તાવ ચડી ગયો. છેલ્લે સમય નજદીક જાણીને પેથડને બોલાવીને સુવર્ણસિદ્ધિનો ઉપાય બતાવ્યો. દેદાશા પણ કાળ કરી ગયા. માતા-પિતા બન્ને એકદમ ચાલ્યા જવાથી પેથડને પણ ખૂબ આઘાત લાગ્યો. ‘દુઃખનું ઓસડ દહાડા’ દિવસો વીતવા લાગ્યા. પેથડે સુવર્ણસિદ્ધિ કરવાની શરૂઆત કરી પણ નસીબ વાંકુ હોય ત્યાં શું થાય ? તેથી તે સફળ ન થઈ. દેદાશા તો રોજ બનાવીને રોજ બધું આપી દેતા, ઘરમાં કાંઈ જ રાખતા નહોતા. તેથી પેથડ સાવ નિર્ધન બની ગયો. બન્ને બાપ દિકરો ફેરી કરીને ગુજરાન ચલાવવા લાગ્યા. હવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org