SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિતિ. સાંભળતાં જ કુમારપાળ મહારાજે જાહેર કર્યું કે કોઈ પણ સાધર્મિક દુઃખી હોય અને આવે તો તેને ૧૦૦૦ સોનામહોરો તો મને પૂછયા વિના જ આપી દેવાની, આ રીતે ૧૪૦૦ કરોડ સોનામહોરો સાધર્મિક ભક્તિમાં ખર્ચા, સાધર્મિકને ગર્વ હોવો જોઈએ કે મારી સંભાળ રાખનારો આખો સંઘ છે. ધર્મ પ્રત્યે તેને બહુમાન જાગે. આપણું સાધર્મિક વાત્સલ્ય અત્યારે ધર્મસ્થાનક પૂરતું છે પણ જીવસ્થાનક સુધી પહોંચાડવાનું છે. મારા સાધર્મિકોને મારે બેઠા કરવા છે, સહાયરૂપ થવું છે. મદદ લેનારે પણ સમજવાનું છે કે સંઘના માણસો મને નિઃસ્વાર્થ ભાવે મદદ કરી રહ્યા છે તેની તરફ અમારો વર્તાવ પણ નમ્રતા ભર્યો હોવો જોઈએ. આજે ભાઈભાઈ વચ્ચે, પિતા-પુત્ર વચ્ચે અણબનાવો હોય. એકબીજાને ફસાવવા માટે મહેનત કરી રહ્યા હોય. આ બધું જોઈને સાંભળીને થાય કે ધર્મ કરનારા આ બધાનો ધર્મ કેવો ? ઉદો મારવાડી : આવા કલિકાલસર્વજ્ઞની ભેટ આપનાર ઉદયનમંત્રી સાધર્મિક ભક્તિમાંથી આવ્યા છે. ઉદો મારવાડી... એકપણ પાઈ પાસે નહીં. એ સમયે ગુજરાતમાં કર્ણાવતી નગરીની જાહોજલાલી ખૂબ વખણાતી. તેનું બીજું નામ આશાભિલ્લે વસાવી હોવાથી આશાપુરી પણ છે. અને અત્યારે અમદાવાદ. ઉદાએ કર્ણાવતીની જાહોજલાલી વિશે ખૂબ સાંભળેલું. તેથી તેને થયું કે આવડા મોટા શહેરમાં મને કયાંક રોટલો મળી રહેશે. તેથી દોરી ને લોટો લઈને કર્ણાવતી આવવા નીકળ્યો. કર્ણાવતીમાં આવ્યો તો ખરો પણ આવડા મોટા શહેરમાં જવું કયાં? નહીં કોઈ ઓળખાણ કે નહીં કોઈ પીછાણ, તેણે વિચાર્યું કે દાદાની પાસે (દહેરાસર) જવા દે... થાકેલાનો એ જ વિસામો છે. દહેરાસરમાં આવ્યો. સંસારને-દુઃખને ભૂલી 6 છે. જઈને ભાવથી પ્રભુની ભક્તિ કરી. તે સમયે એક લાછી નામની છીપી , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004819
Book TitleGuruvani 2
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherJinendraprabhashreeji
Publication Year
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy