________________
૩૫
શ્રાવણ વદ-૧૩ પર્યુષણ-દ્વિતીય દિન
સાધર્મિક વાત્સલ્ય :
ઉત્તમમાં ઉત્તમ પર્યુષણા પર્વ. પૂ. જ્ઞાની ભગવંતોએ બતાવેલું છે આ પર્વની આરાધના માટે ગુરૂ ભગવંતોએ પાંચ ઉપાયો બતાવ્યા છે.અમારિ પ્રવર્તન વગેરે. બીજો ઉપાય છે સાધર્મિકવાત્સલ્ય, સાધર્મિક વાત્સલ્ય એટલે સાધર્મિક તરફ સ્નેહભાવ. એક બાજુ બધા જ ધર્મો અને બીજી બાજુ સાધર્મિકવાત્સલ્ય બન્નેને બુદ્ધિરૂપી ત્રાજવાથી તોલવામાં આવે તો બન્ને સરખા ઉતરે છે. આપણને જે કાંઈ ધર્મ મળ્યો તે સાધર્મિકનો પ્રતાપ છે. આપણે અત્યારે જે કાંઈ આરાધના કરી રહ્યા છીએ તે કોને આભારી છે? આ દહેરાસરો, ઉપાશ્રયો, સંસ્થાઓ કોઈએ બંધાવી છે. શા માટે ? સાધર્મિકોને સાધના માટે જ ને ! જો આ સાધર્મિકનો નાતો ન હોત તો આજે તમે ન હોત અને અમે ન હોત. પાંજરાપોળ વગેરે જે સંસ્થાઓ ચાલી રહી છે તે સાધર્મિકના બળ પર. આજે તમારે ત્યાં કોઈપણ સંઘનો માણસ ટીપ માટે આવે તેને તમે લાખો રૂપિયા આપો તે શેના કારણે? સાધર્મિકના સંબંધ પર જ ને ! તમે જો સાધર્મિકની વચ્ચે વસતા હો તો પર્વ-દહાડે ધર્મ કરવા પ્રેરાઓ. એક બીજાને ખેંચી લાવે. આપણે સાધર્મિકનો અર્થ બહુ ટુંકો કરી નાખ્યો છે. બધા ભેગા થઈને જમીએ એટલે સાધર્મિક વાત્સલ્ય થઈ ગયું. તેનો અર્થ તો ખૂબ વિશાળ છે. સાધર્મિક સાધર્મિકને કયારેય છેતરે નહીં, ફસાવે નહીં, શીશામાં ઉતારે નહીં. સાધર્મિક દુઃખી હોય તો બધી રીતે તેને મદદ કરવી જોઈએ. કારણ કે સાધર્મિક છે તો ધર્મ છે.
સાધર્મિકવાત્સલ્યની શરૂઆત ચક્રવર્તિ ભરતમહારાજાથી થઈ. એમને થયું કે બધા ભાઈઓ તરી ગયા. હું એકલો રહી ગયો. તેથી તેમણે ધર્મની સદા જાગૃતિ રહે માટે એક વર્ગ ઉભો કર્યો. તેમણે માણસોને કહ્યું કે તમારે રોજ સભામાં આવવાનું અને મને રોજ કહેવાનું કે ‘મા દ્રુળ, મા જ્ઞળ નિતો નિતો મવાનું વર્ધતે મીઃ, કોઈને મારશો નહીં, મારશો નહીં.’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org