SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ જે અંતિમક્રિયાને માટે ઉના અને દીવનો સંઘ તૈયારી કરવા લાગ્યો. તેર , ખંડવાળી માંડવી તૈયાર કરી તેમાં સૂરિજીના પાર્થિવદેહને પધરાવવામાં આવ્યો. ગામની બહાર આંબાવાડીમાં ચંદનની ચિતા ખડકવામાં આવી. સૂરિજીના નશ્વરદેહને તેમાં પધરાવ્યો. આગ મૂકવાની કોઈની હિંમત ચાલતી નથી. છેવટે હૃદય કઠિન કરી હા ! હા ! કારની કારમી ચીસ પૂર્વક ચિતામાં આગ મૂકવામાં આવી. આ ચિતામાં પંદર મણ સુખડ, ત્રણ મણ અગર, ત્રણ શેર કપૂર, ત્રણ શેર કેસર વગેરે નાંખવામાં આવ્યું. સૂરીજીનો નશ્વર દેહ વિલીન થઈ ગયો. તે સમયે ત્યાં રહેલા આંબા પર અકાળે કેરીઓ લચી પડી. જે આંબા વાંઝિયા હતા તે આંબા પર પણ કેરીઓ આવી. સૂરિજીના અગ્નિસંસ્કારની તે જગ્યા જૈન સંઘને અકબરબાદશાહે ભેટ આપી. આજે પણ તે આંબાવાડિયું છે. હવે આ બાજુ લાહોરથી રવાના થયેલા વિજયસેનસૂરિ મહારાજ ગુરૂજીને મળવાની ઉત્કૃષ્ટ ઈચ્છા સાથે ઉગ્ર વિહાર કરતાં આવી રહ્યા છે. વિહારમાં સૂરિજીની તબિયતના કયાંય સમાચાર મળ્યા નહીં. પાટણ આવ્યા. ઉપાશ્રયમાં પગ મૂકતાં જ બધા શ્રાવકો દેવવંદન માટે ભેગા થઈને બેઠા છે. આ જોતાં જ સેનસૂરિ મહારાજના હૃદયમાં ધ્રાસકો પડયો. પૂછ્યું કે ગુરૂદેવને કેમ છે? ગુરૂદેવ તો આપણને મૂકીને ચાલ્યા ગયા. આટલું સાંભળતાં જ એવો જોરદાર આઘાત લાગ્યો કે ત્યાં બારણામાં જ બેભાન થઈને પડ્યા. ત્રણ દિવસ સુધી બેભાન રહ્યા. છેવટે શ્રાવકોએ ભાનમાં આવતાં સમજાવ્યા. છતાં ગુરૂદેવને ન મળ્યાનો અફસોસ વ્યકત કરતાં આંસુ સૂકાતાં નથી... તે પછી મુનિઓ સાથે ઉના આવ્યા. ગુરૂજીની પાદુકાને ભાવથી વંદના કરી... અકબર બાદશાહને પણ સૂરિજીના કાળધર્મના સમાચાર મોકલવામાં આવ્યા. બાદશાહ પણ ચોધાર આંસુએ રડી પડયો. આવા હિંસક બાદશાહને અહિંસક બનાવનાર એ જગદ્ગુરૂને 6 હું ભાવભરી વંદના.... ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004819
Book TitleGuruvani 2
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherJinendraprabhashreeji
Publication Year
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy