________________
૨૬
VP ત્રિશૂળ વાગ્યું અને તેથી કુમારપાળ મહારાજાને આખા શરીરે કોઢ રોગ ,
વ્યાપી ગયો. દેવી અદૃશ્ય થયા, કુમારપાળ વિચારે છે કે સવારે પ્રજામાં વાત ફેલાશે તો અહિંસા ધર્મની ખૂબ જ ટીકા થશે. શાસનની હેલના થશે. આના કરતાં મારા પ્રાણની આહુતિ આપી દઉં. તેઓ તૈયાર થયા. મંત્રીશ્વરને બોલાવે છે. મંત્રીશ્વર આવીને કહે છે કે પહેલાં ગુરૂ મહારાજ પાસે ચાલો. પછી બધી વાત. બન્ને જણ રાત્રિએ જ ગુરૂમહારાજ પાસે આવે છે ઉપાશ્રયમાં દાખલ થતાં જ કોઈ સ્ત્રીના રડવાનો અવાજ આવે છે. કુમારપાળ ચમકયા. અત્યારે ઉપાશ્રયમાં સ્ત્રી કયાંથી ? આચાર્ય ભગવંતને પૂછે છે. આચાર્ય ભગવંત કહે છે કે કુમારપાળ તને કોઢ રોગ આપનાર દેવીને મેં બાંધી છે માટે તેણી છૂટવા માટે રડે છે. ત્રણે જણ દેવી પાસે આવે છે, દેવીને કહે છે કે તું પ્રતિજ્ઞા કરી કે હવેથી હું ભોગ નહીં લઉં, તેમજ રાજ્યમાં પણ કયાંય હિંસા થશે તો હું તમને ખબર આપીશ. દેવી કબૂલ કરે છે પછી તેને છોડે છે. કુમારપાળ મહારાજા રોગમુક્ત બને છે. આ પ્રમાણે અહિંસામાં અડગ રહીને તેમણે રાજ્યમાંથી મારી' શબ્દને પણ દેશવટો આપ્યો. કુમારપાળ મહારાજના વખતમાં સુવર્ણયુગ હતો. આવતી ચોવીશીમાં શ્રેણિક મહારાજા તીર્થકર બનશે અને કુમારપાળ મહારાજ તેમના ગણધર બનશે.
આમ હેમચંદ્રસૂરિ મહારાજે કુમારપાળ મહારાજા દ્વારા ચારે બાજુ અહિંસાનો ઝંડો લહેરાવ્યો હતો. અહિંસાની લડત આપનારા ગાંધીજી અને હેમચંદ્રસૂરિ મહારાજ અને મોઢ વાણિયા હતા. મોઢ માટે એક કહેવત આવે છે કે “અંગે હોજો કોઢ પણ પડોશમાં ન હોજો મોઢ.” મોઢ બહુ શક્તિશાળી હોય છે. હેમચંદ્રસૂરિ મહારાજે અનેક રાજાઓને પોતાના કરીને
અહિંસા પ્રવર્તાવી અને ગાંધીજીએ અહિંસાની લડત આપીને ભારત દેશને છે મુક્ત કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org