________________
૧૪
ને છે. પદાર્થોની જગ્યાએ પરમાત્માને ગોઠવવાના છે. પછી જુઓ ચમત્કાર.
આપણને પદાર્થોનું જ ધ્યાન છે એટલે ધ્યાન લગાવશું તો પણ પદાર્થો જ દેખાશે. એના બદલે અરિહંતનું ધ્યાન લગાવો તો અરિહંત આપણી ચેતનામાં આવીને ઉભા રહેશે. ચેતના એક એવી વસ્તુ છે કે તેને જે નિમિત્ત મળે તેનાથી તે રંગાઈ જાય છે અને તે સમય પૂરતો માણસ તે રૂપ બની જાય છે. તન કટાસણા પર, મન કયાં ?
એક સ્ત્રી હતી. તે ખૂબ ડાહી અને હોશિયાર હતી. તેના સસરાને સૂતરનો ખૂબ મોટો વહેપાર હતો. સૂતરને વણવા માટે તેઓ હરિજનોને સોંપતા. વેપાર બહુ મોટા પ્રમાણમાં હોવાથી તેમનું મન સતત સૂતર અને હરિજનો વચ્ચે જ અટવાયેલું રહેતું. એકવાર શેઠ સામાયિક લઈને બેસે છે. કોઈક ભાઈ મળવા માટે આવે છે, પૂછે છે કે શેઠ ઘરમાં છે ? વહુ જવાબ આપે છે કે શેઠ તો ઢેઢવાડે ગયા છે. પેલા ભાઈ તો પાછા ગયા, પણ સામાયિકમાં બેઠેલા સસરાજી વિચારે છે કે વહુએ કેમ આવો જવાબ આપ્યો? વહુ શાણી-સમજદાર છે તેથી તેના જવાબમાં નક્કી કાંઈક રહસ્ય હોવું જોઈએ. સામાયિક પૂરું થતાંની સાથે જ સસરો વહુને પૂછે છે કે બેટા ! તે આવો જવાબ કેમ આપ્યો? વહુ કહે છે કે બાપુજી તમે બેઠા હતા કટાસણા પર પણ તમારા મો પરના ભાવોથી મેં જાણ્યું કે તમારું મન તો સૂતર કોણે કેટલું કાંત્યું? કોને કેટલું આપવાનું છે? આ બધા વિચારોમાં ભમતું હતું તેથી ઢેઢવાડે ગયા તેમ ન કહું તો શું કહું? સામાયિક કરતાં તો મન સમભાવમાં રહેવું જોઈએ. પ્રભુ ધ્યાનમાં લીન હોવું જોઈએ,
જ્યારે આજે આપણા સામાયિકનો સંબંધ કટાસણા અને ઘડિયાળ પૂરતો બની જાય છે. સામાયિક લે ત્યારથી ઘડિયાળ તરફ નજર મંડાયેલી હોય. , આવા રોજના દસ સામાયિક કરો તો પણ શાંતિ કયાંથી મળે ? બધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org