SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ '' - બનવાની પાત્રતા મેળવી લીધી. ભગવાન વીરના સ્મરણને જીવનમાં એવું , તો વણી લીધું હતું કે તેમની ચિતાના લાકડામાંથી “વીર-વીર’ એવો ધ્વનિ સંભળાતો હતો. માટે તો આવતી ચોવીશીમાં તેમની કાયાનું પ્રમાણ, વર્ણ વગેરે બધું જ ભગવાન મહાવીર જેવું જ હશે. આજે આપણા ચિત્તમાં પરમાત્મા નહીં પણ પદાર્થો ભરેલા છે. ચોવીસે કલાક પદાર્થોની જ વિચારણા ચાલે છે. અરે ! પરમાત્માની ભક્તિ કરવા દેરાસરમાં જઈને ત્યાંયે આપણા ચિત્તમાં સંસાર છવાયેલો રહે છે. સમસ્ત પ્રવૃત્તિમાં ભગવાન છવાયેલા હોવા જોઈએ એના બદલે સંસાર છવાયેલો છે. ભગવાનનું નામ લેવાનો પણ આપણને ટાઈમ નથી.... રોજ કાંઈ લાખોના દાન આપવાના હોતા નથી અથવા તો રોજ કાંઈ માસક્ષમણ કરવાના હોતા નથી પણ રોજ ભગવાનનું નામ સ્મરણ તો શકય બને ને ! સસ્તું છતાં સક્ષમ પ્રભુનું નામ સ્મરણ : કુદરતની આપણા પર કેવી મહેરબાની છે એ વિચારે છે કે જો માણસને બધું મોધું કરીશ તો એ જીવશે કેવી રીતે? તેથી આપણી વધારેમાં વધારે ઉપયોગી ચીજને સસ્તામાં સસ્તી બનાવી છે. હવા-પાણી વગર ઘડીકવારેય ચાલે ખરું ? વળી તમે તો હવાના ખૂબ પરાધીન છો પા-અડધો કલાક લાઈટ જાય અને પંખા જો બંધ થઈ જાય, તો તમારી કેવી દશા થાય? એક બે દિવસ પાણી ન આવે તો કેવી રાડારાડ મચાવી મૂકો? આ બન્નેનો સતત ઉપયોગ હોવાથી કુદરતે આપણને મફતમાં આપ્યા. હવે અનાજ પણ બધાને ખૂબ ઉપયોગી છે તે પણ સસ્તુ બનાવ્યું સોના-ચાંદીના કરતાં સોનું-રૂપું-મોતી કેવા મોંઘાદાટ છે? તેના વગર માણસને ચાલે, તે જોઈએ જ એવું નથી હોતું. પણ અનાજ, હવા અને પાણી આટલું તો જોઈએ તે જ. આ બધાથી પણ સસ્તી અને ખૂબ જ ઉપયોગી એવી ચીજ છે પ્રભુનું 6 (ા નામસ્મરણ - સદ્વિચારો... બસ ખાલી વિચારોનું વહેણ જ બદલવાનું છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004819
Book TitleGuruvani 2
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherJinendraprabhashreeji
Publication Year
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy