________________
૯૦ છું તો મારામાં અહંકાર આવી જાય તો..? આ દેવ તથાસ્તુ કહીને ચાલ્યા ગયા.. આ બાજુ આ સંત જ્યારે બહાર નીકળે ત્યારે તેમના પડછાયામાં જે કોઈ માણસ આવે તો તે રોગી હોય તો નીરોગી બની જાય. દુ:ખી હોય તો શ્રીમંત બની જાય. આંધળો હોયતો દેખતો બની જાય. આ પ્રમાણે તેના પડછાયાની અંદર જે કોઈ આવે તે માલા-માલ થઈ જતા. લોકો તેમને “પવિત્ર છાયા” તરીકે જ ઓળખવા લાગ્યા. જ્યારે માણસની અંતરાત્મા તરફ દૃષ્ટિ જાય છે ત્યારે તેને પોતાની પ્રસિદ્ધિ ગમતી નથી. તેને ભગવાનની જ પ્રસિદ્ધિ ગમે છે. પરમાત્મા...
જ્યારે માણસ આવી રીતે અંતર્મુખ બને છે પછી તેનો પ્રભુ સાથે સંબંધ જોડાય છે. અને એ સંબંધ જ્યારે ઉત્કૃષ્ટકોટીનો બને છે ત્યારે તેનો આત્મા પરમાત્મા બની જાય છે. જો કે આત્મા-પરમાત્મા તો છે જ પરંતુ આપણે. તેને સાચા અર્થમાં સમજી શકતા નથી... આપણામાં રહેલા ભગવાનને આપણે ઓળખી શકતા નથી. અને માત્ર મંદિરોમાં તીર્થોમાં શોધવા માટે નીકળીએ છીએ. પ્રભુની મસ્તીમાં ડૂબેલા માણસને કોઈનોય ભય હોતો
નથી.
વો હિ આશ કરો......
અકબર રાજાના દરબારમાં ઘણા કવિઓ હતા. તેમાં એક ગંગ નામનો કવિ હતો. આ કવિ રીજ ભગવાનની સ્તુતિ કરે તથા કોઈ સાધુ-સંતોની સ્તુતિ કરે પણ ક્યારેય કોઈ રાજામહારાજની સ્તુતિ કરતા નહોતા. બીજા બધા કવિઓ અકબરને ખુશ રાખવા તેની સ્તુતિ કરતા હતા. હવે એક દિવસ ઈર્ષ્યાથી પ્રેરાઈને કેટલાક કવિઓએ ભેગા થઈને રાજાને કહ્યું કે રાજન્ ! આ ગંગ કવિ કોઈ દિવસ તમારી સ્તુતિ કરતા જ નથી. તમારે જોવું- જાણવું હોયતો પરીક્ષા કરો. અકબર રાજાએ પરીક્ષા માટે એક સમસ્યા પૂરી કરવાનો કોયડો સભામાં મૂક્યો. આ ચુરો સર્વશી આ સમસ્યાને પૂરી કરવા જુદા-જુદા કવિઓએ જુદી-જુદી પંક્તિઓ રજૂ કરી. રાજાએ ગંગકવિને પૂછ્યું. ગંગ કહે કાલે વાત. બીજા દિવસે સભા ચિક્કાર ભરેલી છે. ગંગકવિ પોતાના પંક્તિ રજૂ કરે છે, કેનિસ રિ વિશ્વાસ નહીં વો દી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org