SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ કર્મનો સિદ્ધાંત અનિચ્છાકૃત-ફળભોગ : પ્રારબ્ધ તો ભોગવવું જ પડે. પરંતુ તે ફળ ભોગવવાની આપણી ઇચ્છા ન હોય છતાં અનિચ્છાએ પણ આપણે ફળ ભોગવવું જ પડે. દાખલા તરીકે અકસ્માત કોઈ ઝાડ અગર મકાન આપણી પર તૂટી પડે, અગર તો આપણે સલામત જગ્યાએ ફૂટપાથ ઉપર ઊભા હોઈએ છતાં મોટર ડ્રાઈવરની ભૂલથી અગર બેક અકસ્માત ફેલ થઈ જવાથી મોટર ફૂટપાથ પર ચઢી જાય અને આપણને ઘાયલ કરી નાંખે. આ પ્રમાણે પ્રારબ્ધ ભોગવવામાં પરતંત્ર હોવા છતાં સ્વેચ્છાકૃત તથા પરેચ્છાકૃત ફળ ભોગવતી વખતે આપણે કામનાઓ અને વાસનાઓ અગર રાગદ્વેષને વશ થઈને જે નવાં ક્રિયમાણ કર્મ કરીએ છીએ તે ફરી પાછાં સંચિતમાં જમા થાય છે અને કાળે કરીને તે પાકીને પાછાં પ્રારબ્ધરૂપે આપણી સામે આવીને ઊભાં રહે છે. બુદ્ધિઃ કર્માનુસારિણિઃ પ્રારબ્ધ ભોગવવામાં જીવ પરતંત્ર છે માટે તેની બુદ્ધિ પ્રારબ્ધ-કર્મને અનુસરે છે. જે પ્રકારનું પ્રારબ્ધ ભોગવવાનું હોય તે પ્રમાણેની બુદ્ધિ સૂઝે છે. બુદ્ધિ પ્રારબ્ધ કર્મ ભોગવવામાં પ્રેરણા કરે છે. ગમે તેવો બુદ્ધિશાળી માણસ હોય તો પણ પ્રારબ્ધ ભોગવવામાં અવળી બુદ્ધિ વાપરતો દેખાય છે. આપણને નવાઈ લાગે કે આટલો બધો બુદ્ધિશાળી માણસ કોઈથી ઠગાય નહિ અને કોઈની ચુંગાલમાં આવે નહિ ને આમાં કેમ ફસાયો ? પણ તેનું પ્રારબ્ધ કર્મ તેને એવી બુદ્ધિ સુઝાડે કે ઓછી બુદ્ધિવાળો માણસ પણ જે ભૂલ ન કરે તેવી બાબતમાં આવો મહાન બુદ્ધિશાળી માણસ પણ ફસાય. કારણ કે પ્રારબ્ધ કર્મ તેને ફળ ભોગવવા માટે એવા પ્રકારની બુદ્ધિ સુઝાડે. એક ઉંદર આખી રાત અંધારામાં એક ખૂણામાં પડેલો કરંડિયો કોતરવાની જહેમત ઉઠાવે છે. તે એવી કામના અગર વાસનાથી કરડિયાને કોતરે છે કે તેમાંથી તેને સફરજન, કેરી, નારંગી, મોસંબી, મીઠાઈ વગેરેની પ્રાપ્તિ થશે. પરંતુ કરંડિયામાં જ્યારે તે મોટું બાકોરું પાડે ત્યારે તેમાંથી સાત દિવસનો ભૂખ્યો એક મોટો સાપ નીકળે અને ઉંદરને ખાઈ જાય છે. ઉંદરની કુશાગ્ર બુદ્ધિ અને કરંડિયો કોતરવાની તેની આવડત તેના મોતનું કારણ બને છે, કારણ કે પ્રારબ્ધમાં તે પ્રમાણેનું મોત નિર્માણ થયેલું છે અને ભૂખ્યા સાપને આ પ્રમાણે ખોરાક પ્રાપ્ત થવાનું પ્રારબ્ધ નિર્માણ થયેલું છે જે તેને વિના પ્રયાસે મળી જાય છે. એક મંકોડાનું પ્રારબ્ધ મોટર તળે ચગદાઈ મરી જવાનું નિર્માણ થયેલું હોય તો તે મંકોડો જ્યારે સડક ઉપરથી પસાર થતો હોય અને મોટર સામેથી આવતી દેખે કે તુરત જ તે પોતાનો બચાવ કરવાની પ્રબળ ઇચ્છાથી ધસમસતો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004817
Book TitleKarmn Siddhanta
Original Sutra AuthorN/A
AuthorHirabhai Thakkar
PublisherKusum Prakashan Ahmedabad
Publication Year2003
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy