SearchBrowseAboutContactDonate
Page Preview
Page 673
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદની જીવનસિદ્ધિ સને ૧૩૩૬ માં વિજયનગરનું નિર્માણકાર્ય પ્રારંભાયું તે પહેલાં અહી હેમકૂટને અડીને ઉત્તરીય ખીણમાં હંપિગ્રામ અને દક્ષિણે કૃષ્ણપુરમ્ ગ્રામ હતાં. તથા નદી પાર ભેટ જન તીર્થ હતું. અને આ પાર હેમકૂટ તથા ચકકૂટ નામનાં બે જન તીર્થો પણ હતાં. આ ત્રણે તીર્થો દિગબર સંપ્રદાયના અધિકારમાં હતાં. નગરને ઉત્તર કિનારે બારમાસી પ્રવાહવાળી તુંગભદ્રા નક્કી અખલિત પ્રવાહે પ્રવહે છે. હમકૃટની પૂર્વ દિશામાં સડકને અડીને ત્રીસેક એકરના વિસ્તારવાળું સાધારણ ઊંચાઈ ધરાવતું એક શિખર છે, જેને રત્નકૂટ કહે છે. તેના પૂર્વ છેડે માતંગ પર્વત આવેલ છે. રત્નકૂટ ઉપર લાંબી મોટી ગુફાઓ તથા કેટલીક નાની ગુફાઓ, પ્રાકૃતિક ચાર કુંડ, નાનાં ખેતર અને બાકીનો પુઢવી શિલામય વિસ્તાર છે, જેના ઉપર વિ. સં. ૨૦૧૭ના અષાડ સુદિ એકાદશીએ “શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમની સ્થાપના ઘણા જ ઉલ્લાસપૂર્વક થઈ, જેમાં શ્રી ભદ્રમનિ (પૂ. શ્રી સહજાનંદધન) મુખ્ય નિમિત્ત બન્યા હતા. રત્નકૂટ ઉપર ગમનાગમન માટે અઢી ફલંગ વ્યવસ્થિત પગ રસ્તે, બે મોટી ગુફાઓ, આઠેક નાની ગુફાઓ, એક મોટી ગુફામાં ચેત્યાલય, જ્યાં શ્રી ચંદ્રપ્રભ સ્વામીની પાષાણ પ્રતિમાજી તથા શ્રી પાર્શ્વનાથજીની ધાતુની પ્રતિમાજી બિરાજમાન છે. શ્રી પરમકૃપાળુદેવની ૩૧ ઈંચની સુરમ્ય પાષાણ પ્રતિમાજી, ચરણચિહ્ન તથા તેમનાં ચિત્રપટ સ્થાપિત છે, જેમની સન્મુખ સત્સંગ-ભક્તિ નિયમિત બે વખત થાય છે. એની સાથે પરમકૃપાળુદેવના નામની સુગંધ દક્ષિણભારતમાં સર્વત્ર પ્રસરી ગઈ. ત્યાં આવનાર મુમુક્ષુ માટે એક વિશાળ જિનાલય યુક્ત સત્સંગ ભવન, આવાસગૃહો કેટલાક ભાવિકોએ પોતાના ખર્ચે બાંધેલા નિવાસ સ્થાને ભેજનાલયની સગવડતા છે. જેમાં બે ટંક મફત ભોજન અપાય છે. ભાવિકોની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે. ૨૯. શ્રીમદ્ રાજચંદ્ર સ્વાધ્યાય મંદિર, દેવલાલી. વિ. સં. ૨૦૨૧ શ્રી જયસિંહભાઈ નારણભાઈ લખપતવાળાએ ઈ.સ. ૧૯૬૪માં લગભગ રૂ. ૮૦,૦૦૦-ના ખચે શ્રીમદ્ રાજચંદ્રનું ભક્તિધામ દેવલાલીમાં બંધાવ્યું છે. દેવલાલીમાં પોતાની માલિકીની કેટલીક જમીન તેમણે મંદિરને અર્પણ કરી. ને ત્યાં વિ. સં. ૨૦૨૦ના ચિત્ર વદ પાંચમના રાજ મંદિરનું ખાતમુહૂર્ત કૃપાળુદેવના પરમ ભક્ત એ. સી. નીલાબહેન શશીકાંત મહેતાના હસ્તે થયું તે પછી માત્ર છ માસમાં મંદિરનું કામકાજ પૂર્ણ કરી વિ. સં. ૨૦૨૧ની કાર્તકી પૂર્ણિમાએ . સી. નીલાબહેનના હસ્તે શ્રીમદ્દની પ્રતિમાની તથા ચિત્રપટની સ્થાપના કરવામાં આવી. તે ઉત્સવમાં લગભગ ૧૦૦૦ ઉપરાંત મુમુક્ષુઓએ ભાગ લીધો હતે. મંદિરના ઉપરના ભાગમાં સ્વાધ્યાય-હૌલ છે, જ્યાં શ્રીમદ્દનું મોટું ચિત્રપટ રાખવામાં આવ્યું છે. અને નીચેના ભાગમાં, ઈડરના પહાડ પર જે શિલા પર બેસીને શ્રીમદ્દ બેધ આપતા હતા તેવી શિલા ઉપર તેમની પ્રતિમા રાખવામાં આવી છે. આજુબાજુને દેખાવ ગુફા જે રાખેલ છે. તેથી નીચેના ભાગમાં તે પર્વતની ગુફાનું જ વાતાવરણ ખડું થાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004816
Book TitleShrimadni Jivan Siddhi
Original Sutra AuthorN/A
AuthorSaryuben R Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year1987
Total Pages704
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy