SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩. શ્રીમદને અન્ય વ્યક્તિઓ પર પડેલે પ્રભાવ મુનિશ્રી ભાણજી રખજીએ તેડાવવાથી કુલ સાધુ ૨૦ એકઠા થયા છે. મુનિશ્રી લલુજી આદિ ઠાણું ૬ આજ્ઞાનુસાર વતે છે, તે લોકે વિશેષ ચેષ્ટામાં, નિંદામાં આવી ગયા છે. અત્રેના સૌ મુમુક્ષુઓ આજ્ઞાનુસાર વતે છે. હવે તે તે લોકોએ હદપાર પ્રરૂપણ અને નિંદા કરવા માંડી છે. તે પ્રસંગે જો જરા કહેવા જાય છે કે મુનિનો માર્ગ કેવો હોવો જોઈએ, વગેરે સહજ કહે છે તો તે પણ તે લોકોને અવળું ભાસે છે...અનેક પ્રકારે અન્યાયથી પ્રરૂપે છે, ત્યાં મુનિ વગેરે સૌ અત્યારે તો સમપણે રહ્યાં છે, કેઈ કાંઈ બોલતું નથી. જરા વાત કરવા જઈએ તો અન્યાયપણે જ બોલવું, ત્યાં આ જીવને શો આશરો ? હવે તે હે પ્રભુ ! આપનું શરણ એક આધારભૂત છે, જે સાધુ સન્માર્ગની ઈરછાવાળા છે તેમાંથી એકે એકને બોલાવી વિશેષ પ્રકારે દબાવે છે. માર્ગથી પાડવાનું પ્રયત્ન કરે છે. અને લોકસમુદાય વખતે અન્ય અન્ય પ્રકારે હાસ્યાદિક ચેષ્ટા કરે છે. તેઓ છ મુનિઓ તો સમપણે રહ્યા છે, મુનિ દેવકરણજીને સાચી વાતમાં શૂરવીરપણું આવી જાય છે. પણ મન દબાવી બેસી રહ્યા છે. હવે તો તે લકોને વિશેષ આગ્રહ થઈ પડ્યો છે. ત્યાં વગર પૂછશે આ સાધુઓને સંઘાડા બહાર મૂકી દે ત્યાં આ છ મુનિઓને શી રીતે વર્તવું? કદાપિ સંઘાડા બહાર ન મૂકે અને એકેકને જુદા પાડીને પોતાના સંઘમાં રાખીને વિષમપણે દબાવે અથવા પાડવાનો પ્રયત્ન કરે ત્યાં આ મુનિઓએ શી રીતે વર્તવું? કેટલાક થતી જિજ્ઞાસાવાળા મુનિઓને તો આ પ્રસંગે વિશેષ દઢ થયું છે, અને થાય છે તે પણ હવે ડરે છે કે આ સંગ ભૂડો છે, અને તેમાં રહેવું થશે તે કેમ કરવું ? એ વિશે ખુલાસે ઈચ્છે છે. પત્રથી વિશેષ લખવાનું બન્યું નથી. પણ અદ્દેષ પરિણામે જ વર્તવાનું રાખ્યું છે. તે પણ અગ્નિઝાળ આગળ રહેવાથી ઉષ્ણપણું થયા વિના રહેતું નથી. છતાં દાબી દાબીને રાખી રહ્યા છે. હવે તો આપ પરમ કૃપાળુદેવશ્રીની પરમ કૃપાથી જગતનું કલ્યાણ થાઓ. આ સંસર્ગથી ગમે તેટલું હોય તે પણ ચિત્ત વિક્ષેપ પામી જાય છે. હવે તો તે મુનિઓને ઊઠવા દે તેમ લાગતું નથી. તેમ તે લોકો અમારી સાથે તો કંઈ વાત જ કરતા નથી. અત્યંત દઢ પરિણામે રહી શકવા જેટલી મારી સ્થિતિ નથી એટલે સત્યની વાતમાં શૂરવીરપણું આવી જાય છે, અને સાચી વાત કરીએ છીએ તેને હાસ્યમાં અન્યાયપણે કાઢી નાખે છે. એ વળી ફરી પાછી અનુકંપ આવી જાય છે.”૫૩ શ્રીમદની સંપીને, અદ્રેષ પરિણામથી રહેવાની સૂચનાને અનુસરીને મુનિઓ વિષમ પરિસ્થિતિમાં પણ કેટલા સમભાવથી રહ્યા હતા તે આપણે ઉપરના પત્રમાં જોઈ શકીએ છીએ. અને મુનિશ્રી લલ્લુજી આદિએ રાખેલી સમતાનો પ્રભાવ લોકો પર પડયા વિના રહ્યો નહોતો. નિંદક વર્ગમાંની વ્યક્તિઓને પલટો પણ થયો હતો. વળી, આ મુનિઓ તેમનામાં મોટા ગણાતા સાધુની આજ્ઞા વિરુદ્ધ સહેજ પણ ચાલ્યા નહોતા. વિ. સં. ૧૫૫ના ચિત્ર સુદ પાંચમના પત્રમાં લલ્લુજી મહારાજ શ્રીમને લખે છે કે – ૫૩. “ઉપદેશામૃત”, પ્રસ્તાવના, ૫, ૨૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004816
Book TitleShrimadni Jivan Siddhi
Original Sutra AuthorN/A
AuthorSaryuben R Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year1987
Total Pages704
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy