SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમની જીવનસિદ્ધિ આ બધાનુ' પરિણામ એ આવ્યુ. કે જેમને જેમને શ્રીમની ખરી એળખ થઈ તે શ્રીમદ્દના વૈરાગ્યાદિ ગુણાથી ર'ગાઈ ગયા, અને શ્રીમદ્ભય બની તેમના વિશેષ લાભ લેવા ભાગ્યશાળી થયા. આવા ભાગ્યશાળી મુમુક્ષુએ તે શ્રી જૂઠાભાઈ ઉજમશી, મનસુખભાઈ કી. મહેતા, મહાત્મા ગાંધીજી, અંબાલાલ લાલચંદ, સાભાગભાઈ લલ્લુભાઈ અને શ્રી લલ્લુજી મહારાજ હતા. એ બધાના જીવન ઉપર શ્રીમના ઘણા પ્રભાવ પડેલા જોવા મળે છે. ખીજી બાજુ તે બધાના ગુણાની અસર શ્રીમદ્ પર પણ થયેલી. આ બધા મુમુક્ષુને જીવનમાં કાઈ પ્રકારની મુશ્કેલી આવતી તા તે વિશે તેએ શ્રીમદ્ પાસે જ માદર્શન ઇચ્છતા, અને શ્રીમદ્ તેમને આધ્યાત્મિક રીતે યેાગ્ય માર્ગદર્શન આપતા પણ ખરા; તેથી આ બધાના ગૃહસ્થ જીવનમાં અને તેથી વિશેષ આધ્યાત્મિક જીવનમાં, શ્રીમના ઘણા અને પ્રબળ પ્રભાવ જોઈ શકાય છે. ૫૭૪ આ બધા ઉપરાંત, શ્રી ખીમજી દેવજી, ત્રિભેાવન માણેકચ`દ, રેવાશ ́કર જગજીવન, માણેકલાલ ઘેલાભાઈ, ધારશીભાઈ કુશળચંદ, ડુંગરશીભાઈ, છેાટાલાલ માણેકચ'દ, ટાલાલ રેવાશકર, પઢમશી ઠાકરશી, મેતીચંદ ગિરધર કાપડિયા, ઝવેરભાઈ, શકરભાઈ, વ્રજભાઈ, લહેરચંદભાઈ, જેસ`ગભાઈ ઉજમશી, મુનિ દેવકરણજી, મુનિ ચતુરલાલજી, મુનિ માહનલાલજી વગેરે અનેક વ્યક્તિએ જુદા જુદા નિમિત્તે શ્રીમના પરિચયમાં આવી હતી. અને એ બધા પર પણ શ્રીમની વધતે-છે અશે અસર પડી હતી. તેમ છતાં એ અસર એવી ગાઢ ન હતી કે જેથી તે વ્યક્તિનુ' જીવનવહેણ જ બદલાઈ જાય. આ પ્રકરણમાં જીવનવહેણ બદલાવી નાખે તેટલી ઘેરી અસર જેમના પર થઈ હતી, તથા જેમણે મુશ્કેલીના સમયમાં શ્રીમદ્નુ માર્ગદર્શન ઇન્ક્યું હતું, તેવી જૂડાભાઈ, મનસુખભાઈ, ગાંધીજી, અ’માલાલભાઈ, લલ્લુજી મહારાજ અને સેાભાગભાઈ એ છે વ્યક્તિઓ સાથેના શ્રીમદ્ના સંબંધ વિચાર્યા છે. આ છમાંથી જૂડાભાઈ, અબાલાલભાઈ, લલ્લુજી મહારાજ અને સેાભાગભાઈ, એ ચાર જણાને તા, શ્રીમના પાતાના જણાવ્યા પ્રમાણે શ્રીમની હયાતીમાં જ સમ્યજ્ઞાન પ્રગટ થયું હતુ, અને મનસુખભાઈ તથા ગાંધીજીએ દૃઢ મુમુક્ષુતા પ્રાપ્ત કરી હતી. આવી ઉચ્ચ આત્મદશા પ્રાપ્ત કરનાર વ્યક્તિએ, શ્રીમની શકય તેટલી ગુપ્ત રહેવાની ઇચ્છાને કારણે, ગણીગાંઠી હોય તે સ્વાભાવિક છે. શ્રીમદ્ અને જુડાભાઈ વિ. સં. ૧૯૪૩માં મુંખઈ થી વવાણિયા જતાં શ્રીમદ્ અમદાવાદમાં શેઠ પાનાચંદ અવરચંદને ત્યાં ઊતર્યા હતા. તે વખતે શેઠના એક માણસ સાથે શ્રીમદ્ મલ્લિચંદ જેચંદની પેઢી પર ગયા હતા. ત્યાં તેમને જેસંગભાઈ તથા લહેરાભાઈ અને ર’ગજીભાઈ સાથે ઓળખાણ થઈ. શ્રીમદ્, તેમની માગણીથી, તેમને પાતાના કાવ્યની થેાડી પ્રસાદી આપી, જેનાથી બધા ખૂબ આનંદ પામ્યા. એ રીતે જૂઠાભાઈના માટાભાઈ જેસંગભાઈ સાથે શ્રીમદ્ન પહેલા પરિચય થયે.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004816
Book TitleShrimadni Jivan Siddhi
Original Sutra AuthorN/A
AuthorSaryuben R Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year1987
Total Pages704
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy