SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨, શ્રીમના ક્રમિક વિકાસ ૫૫૫ “ અમે તેા કઈ તેવું જ્ઞાન ધરાવતા નથી કે જેથી ત્રણે કાળ સર્વ પ્રકારે જણાય, અને અમને એવા જ્ઞાનના કંઈ વિશેષ લક્ષે નથી; અમને તા વાસ્તવિક એવુ' જે સ્વરૂપ તેની ભક્તિ અને અસ`ગતા, એ પ્રિય છે. ૩૪ આમ શ્રીમદ કેવળ અસ`ગતા પ્રાપ્ત કરવાના પ્રયત્ન વિ. સ. ૧૯૪૭થી પ્રખળ પુરુષાથ થી આરાધે છે, અને તેમાં તેઓ કેટલેક અંશે સફળ પણ થાય છે. તેમની ચિત્તવૃત્તિ બાહ્ય પ્રસંગેામાં પ્રવર્તતી અટકીને અંતરમાં પ્રવતવા માંડે છે. અને તેમને અસ'ગદશા સ્વાભાવિક રીતે આવતી જાય છે. તેના ઉલ્લેખ પણ આપણને વિ. સ. ૧૯૪૭ના ફાગણ માસથી મળે છે – “ આ જગત પ્રત્યે અમારા પરમ ઉદાસીન ભાવ વર્તે છે; તે સાવ સેાનાનુ` થાય તાપણ અમને તૃણવત્ છે, અને પરમાત્માની વિભૂતિરૂપે અમારુ ભક્તિધામ છે. ’૩૫ અમારું. ચિત્ત નિઃસ્પૃહ અતિશય છે; અને જગતમાં સસ્પૃહ તરીકે વર્તી એ છીએ, એ કળિયુગની કૃપા છે. ’૩૬ 66 66 પેાતાનું અથવા પારકુ જેને કઈ રહ્યું નથી એવી કેાઈ દશા તેની પ્રાપ્તિ હવે સમી જ છે, ( આ દહે છે); અને તેને લીધે પરેચ્છાથી વર્તીએ છીએ.’૩૭ “ અમને કોઈ પદાર્થાંમાં રુચિ માત્ર રહી નથી; કઈ પ્રાપ્ત કરવાની ઇચ્છા થતી નથી; વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી; જગત શુ· સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી; કેાઈ શત્રુ-મિત્રમાં ભેદભાવ રહ્યો નથી; કાણુ શત્રુ છે અને કાણુ મિત્ર છે, એની ખબર રખાતી નથી; અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ... પેાતાની ઇચ્છાએ થાડી જ પ્રવૃત્તિ કરવામાં આવે છે; જેમ રિએ ઇચ્છેલેા ક્રમ દોરે તેમ દોરાઈએ છીએ ..આટલુ બધુ છતાં મનમાનતી ઉદાસીનતા નથી, એમ માનીએ છીએ. ’’૩૮ સ'સાર ચલાવતાં, વેપાર કરતાં કરતાં શ્રીમદ્ કેટલી અસંગતા પ્રાપ્ત કરી શકયા હતા તે આપણ તેમનાં ઉપરનાં વચનેાથી જાણી શકીએ છીએ. તેમની દેહાત્મબુદ્ધિ કેટલી બધી ટળી ગઈ હતી તેના ખ્યાલ પણ એમાંથી આવી શકે છે. અને એ પરિસ્થિતિમાં જ્યાતિષ, સાહિત્ય, અવધાન આદિની પણ અરુચિ વધે તે સ્વાભાવિક છે. આથી તે તેવી કાઈ ખાબત વિશેની વિચારણા તેમણે લખેલા પત્રોમાં જોવા મળતી નથી, એટલું જ નહિ, તે વિશે કાઈ પુછાવે તે તેઓ “ તેના ઉત્તર મળી શકે તેમ નથી ’' તેવા અભિપ્રાયના જવાબ લખતા. આટલી બધી અસંગ – ત્યાગી થવાની ઇચ્છા હૈાવા છતાં વ્યવહાર ચલાવવા પડતા હતા, અને સને કર્માય ગણી તેઓ વેદતા હતા. તેમાં વારંવાર વનવાસ લેવાની ઇચ્છા પણ થઈ જતી. એક પત્રમાં તેઓ લખે છે કેઃ ૩૪. “ શ્રીમદ્ રાજચંદ્ર '', અગાસ આવૃત્તિ, આંક ૨૧૩ 66 ૩૫. એજન, આંક ૨૧૪. ૩૭. એજત. આંક ૨૩૪. Jain Education International ૩૬. એજન, આંક ૨૨૨. ૩૮. અજન, આંઠ ૨૫૫. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004816
Book TitleShrimadni Jivan Siddhi
Original Sutra AuthorN/A
AuthorSaryuben R Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year1987
Total Pages704
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy