SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. જીવનરેખા ૩૧ થશે તે સૌંબંધમાં પ્રશ્ન કર્યાં હતા, કારણ કે તે અરસામાં શ્રીમદ્દની આર્થિક સ્થિતિ ઘણી સાંકડી હતી. શ્રી પચાળીએ પ્રશ્નકુંડલી બનાવીને સુ`બઈ તરફનુ' પ્રયાણુ અને અમુક સમયમાં સારા દ્રવ્યલાભ થશે તેવુ ફળ કહ્યું હતું. શ્રીમનુ' મુંબઈ તરફનું પ્રયાણ તા થયુ' પણ કહેલી મુદ્દતમાં જણાવેલા દ્રવ્યલાભ ન થયા. આ ખાખત શ્રીમદ્દે મુંબઈથી રા. ચત્રભુજ મેચરને તા. ૫–૧૧–૧૮૮૬ સ. ૧૯૪૩ના કારતક સુદ ૯ના રોજ લખ્યું' હતું કે, “ શંકર પચાળીએ લીધેલું પ્રશ્ન હજુ સુધી પરિણામભૂત થયું નથી. થયે લખીશ. વિજય ઉત્તમ થયા છે.”૨૯ અર્થાત્ શ્રી શંકર ૫'ચાળીએ ભાખેલ ભવિષ્ય સંપૂર્ણ સત્ય નહોતું નીવડયું. જ્યાતિષ એ ગ્રહાચારના સતત અવલાકન પરથી ઘડાયેલું શાસ્ત્ર છે. તેમાં કાઈ વ્યક્તિના જન્મસમયે કે પ્રશ્ન કર્યાં હોય તે સમયે ગ્રહેાની જે પ્રમાણે સ્થિતિ હોય તે પ્રમાણે કાગળ ઉપર ઉતારીને કુંડલી બનાવવામાં આવે છે. અને તે પરિસ્થિતિ પરથી ગણિત કરીને ફળાદેશ અર્થાત્ ભવિષ્યમાં બનનારા પ્રસંગાની આગાહી કરવામાં આવે છે. તેમાં જેમ તે શાસ્ત્રનાં ગણિત અને ફળશ્રુતિ વિશેના અભ્યાસ વધારે તેમ ફળાદેશ સત્ય આવે છે. અહી` શ્રી પચાળીએ કહેલ ફળ અમુક પ્રમાણમાં જ સાચું આવ્યું, તેથી સ`પૂર્ણ પણે સત્ય આવે તેવી કક્ષાનુ જ્યાતિષનુ જ્ઞાન મેળવવાની શ્રીમની વૃત્તિ પ્રબળ બની. ઉપરના પત્રમાં વિજય ઉત્તમ થયા છે” તે વચન તેમના અવધાન સંબધે છે. સુ`બઈમાં તેમણે એ અરસામાં ભરીસભામાં શતાવધાનના પ્રયાગા સફળતાથી કરી બતાવ્યા હતા. એ સભામાં વિદ્વાના, પડિતા, જ્યાતિષીએ આદિ અનેક અગ્રગણ્ય વ્યક્તિએ પણ હતી. કેટલાક વિદ્વાન જ્યાતિષીએ તેમની ચમત્કારિક અવધાનશક્તિ જોઈ તેમના તરફ આકર્ષાયા હતા. અને એ વિદ્વાના દ્વારા શ્રીમને પેાતાના જ્યાતિષના અભ્યાસ વધારનારાં સાધના પ્રાપ્ત થયાં. દશ વિદ્વાનેાએ મળી શ્રીમના ગ્રહ જોયા, અને તેને પરમેશ્વર ગ્રહ હરાવ્યા. તે વિશે શ્રીમદં તેમના અનેવીને વિ. સં. ૧૯૪૩ના માગશર વદ ૧૨ના પત્રમાં લખેલુ` કે, “મારા ગ્રહ દશ વિદ્વાનાએ મળી પરમેશ્વર ગ્રહ ઠરાવ્યા છે...વૈરાગ્યમાં ઝીલુ છઉં.. તમારા ગ્રહ વળતીએ અહીં મીડશેા. ’૩૦ આવા ચેાતિષીઓનાં નિમિત્ત પામી શ્રીમદ્ પેાતાના અભ્યાસ ઘણા વધાર્યા. જેમના દ્વારા તેમને જ્ઞાન મળ્યું તેમના કરતાં પણ તેએ ઊંડા અભ્યાસી બન્યા. અને તે એટલે સુધી કે વર્તમાનūહે અપરિચિત એવી સંસ્કૃત, માગધી આદિ ભાષામાં લખાયેલા ગ્રંથોના ખાધ પણ તે પામ્યા હતા. વળી એ સમયે તેમ જ આજે પણ અપ્રાપ્ય ગણાતા ભદ્રખાહુસ્વામીકૃત ભદ્રબાહુસંહિતા ” નામના સંસ્કૃતમાં રચાયેલા જ્યાતિષના મનનીય ગ્રંથ તે સમયે તેઓ અવગાહી ગયા હતા. 66 ,, ગ્રંથ અવલેાકવા વિશે ભરૂચના વતની શ્રી અનુપચંદ શ્રીમના “ભદ્રૂખાહુસ`હિતા r ૨૯. શ્રીમદ્ રાજચંદ્ર જીવનરેખા ”, પૃ. ૨૫. “ શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૧૬૫. ૩૦. Jain Education International k "" For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004816
Book TitleShrimadni Jivan Siddhi
Original Sutra AuthorN/A
AuthorSaryuben R Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year1987
Total Pages704
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy