SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ની જીવનસદ્ધિ ભક્તિના ઉપદેશ, બ્રહ્મચય વિશે સુભાષિત, સામાન્ય મનારથ, તૃષ્ણાની વિચિત્રતા, અમૂલ્ય તત્ત્વવિચાર, જિનેશ્વરની વાણી અને પૂર્ણમાલિકા મંગળ, આબાલવૃદ્ધ સર્વને ઉપયેાગી થાય તેવા હેતુથી શ્રીમદ્ “ મેાક્ષમાળા ”ની રચના કરી હોવાને લીધે તેમાં ભાષાની સરળતા ઉપર ઘણુ* લક્ષ્ય રાખ્યું છે. આથી “મેાક્ષમાળા”ની પદ્યરચનાઓ પણ સરળ ભાષામાં હાય તે સ્વાભાવિક છે. ૨૩૦ સામાન્ય માણુસને પણ સમજાય તેવી સરળ રચનામાંથી પણ તત્ત્વવિચારક ઘણું પામી શકે તેવી હું અમૂલ્ય તત્ત્વવિચાર” જેવી કૃતિઓ પણ તેમાં છે. એમાં મનુષ્યભવની દુર્લભતા, ખેાટા લક્ષથી એળે જતા મનુષ્યભવ વગેરે વિશે જણાવી સાચા માર્ગ કયેા તે પણ કહ્યું . હિરગીત જેવા ગેય છંદમાં તેની રચના થઈ હોવાને કારણે શ્રીમના અનુયાયીઓમાં તેને મુખપાઠ કરવાના રિવાજ છે. આ કાવ્ય વાંચતાં શ્રીમની આધ્યાત્મિક સમજણના અને કંક્ષાના ખ્યાલ આવે તેમ છે. “માક્ષમાળા ”ની આ રચના સર્વોત્તમ કહી શકાય એવી છે. 66 આ સિવાયની અન્ય રચનાઓમાં સ્પષ્ટ બાધ જોવા મળે છે. ‘“ બ્રહ્મચય વિશે સુભાષિત ’”, “ભક્તિના ઉપદેશ” વગેરે આ પ્રકારની રચનાઓ છે. તેમાં બ્રહ્મચય ના મહિમા અને ભક્તિથી થતા લાભેા અનુક્રમે વર્ણવ્યા છે. જિનેશ્વરપ્રણીત દયા કેવી છે, તેનું નિરૂપણ “સમાન્ય ધર્મ ”માં થયું છે. તૃષ્ણા કેવી વિચિત્ર છે, તે જીવને કેટલી હેરાન કરે છે તે ખાખત “ તૃષ્ણાની વિચિત્રતા ” એ કૃતિ દર્શાવે છે. કટાક્ષકાવ્યની શૈલીનું આ કાવ્ય આનંદપ્રદ થાય તેવું છે. માણસે સેવવા ચેાગ્ય મનેારથા “સામાન્ય મનારથ ”માં શ્રીમદ્દે જણાવ્યા છે. તે કૃતિ સામાન્ય કક્ષાની છે. જિનપ્રભુની વાણી કેવા કેવા ગુણોવાળી હાય છે તે જિનેશ્વરની વાણી ’માં ભાવવાહી શબ્દોમાં કવિએ વર્ણવ્યું છે. અને જોડકણાં જેવું લાગતું પૂર્ણ માલિકા મગળ ’ ઘણા ગભીર અને સમાવતું પદ્ય છે. આ રીતે જોતાં જૈનધર્મનાં દયા, ભક્તિ, બ્રહ્મચર્ય, જિનવાણી વગેરે તત્ત્વા આ પદ્યોમાં વિષયરૂપ બન્યાં છે. 66 રચના પ્રમાણમાં ટૂંકી છતાં સુરેખ લાગે તેવી બની છે. તેમાં તે વિષયના ભારપૂર્ણાંક ઉપદેશ અપાયેા છે. અહી તેમણે કારેક ઉપજાતિ જેવા અક્ષરમેળ છંદમાં રચના કરી છે. પરંતુ માત્રામેળ છંદો જેવા કે ચાપાઈ, હિરગીત, સવૈયા આદિન વિશેષ ઉપયેાગમાં લીધા છે.૯૦ આમ “માક્ષમાળા ''ની રચનાઓ ધર્મને લગતી શ્રીમની રચનાઓમાં મહત્ત્વનું' સ્થાન ધરાવે છે. “ દ્વાદશાનુપેક્ષા ૮૧ વિક્રમની બીજી સદી આસપાસ મુનિશ્રી સમંતભદ્રાચાર્ય “ રત્નકર’ડશ્રાવકાચાર ”નામને શ્રાવકના આચારાનુ નિરૂપણ કરતા ગ્રંથ સંસ્કૃતમાં લખ્યા છે. આ ગ્રંથ ઉપર હિંી ભાષામાં વિસ્તૃત ટીકા પડિત સુખદાસજીએ વિક્રમની ૨૦મી સદ્નીની શરૂઆતમાં – સં. ૧૯૦૬થી ૧૯૨૧ સુધીમાં – લખી છે. તેમાં સમ્યક્ત્વનાં આઠ અંગ, બાર ભાવના, સમાધિમરણ વગેરે વિષયે ના ૮૧, · શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ ૧, ૪ ૧૫. << Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004816
Book TitleShrimadni Jivan Siddhi
Original Sutra AuthorN/A
AuthorSaryuben R Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year1987
Total Pages704
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy