SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમંના અધસિદ્ધિ આવશ્યક્તા બતાવતા આ પુસ્તકમાં શ્રીમદ્દે તે પ્રાપ્ત કરવા માટેની રીતને વિચાર પણ કરેલા જોવા મળે છે. આના પહેલા પગથિયારૂપે તેઓ ઈશ્વરમાં શ્રદ્ધા તથા પાપના ડરને સ્વીકારે છે. તેથી તા તેને લગતી ગરબીએ તેઆ આર‘ભમાં જ આપે છે. એ જ રીતે ઉદ્યમને પણ તેઓ એટલું જ મહત્ત્વ આપે છે. ઉદ્યમથી બેવડા લાભ થાય છે ; જે કાય થાય તે, અને એ સમયે નિંદા આદિ કુસંગથી ખચાય તે. “ નવરા બેસનાર નખાદ વાળે ” એ કહેતી સાચી ન પડે તે માટે તેમણે કંઈ ને કંઈ સારા ઉદ્યમ કરવાની ભલામણુ આ પુસ્તકમાં કરી છે. જ્ઞાનને પણ તેમણે એક આવશ્યક અંગ ગણ્યુ છે. વિવેકજ્ઞાન હોય તે જ સાચા ગુણા ખીલી શકે છે તે તેમના ધ્યાનમાં હોવાથી જ્ઞાનનાં જુદાં જુદાં પાસાંને લગતી લગભગ સાત જેટલી ગરબીએ તેમણે રચી છે. અને આ બધા ગુણૈાથી થતા ફાયદા વિશે પણ તેમણે ઠીક ઠીક ગરખીએ રચી છે. સારા આચરણના ફાયદા અને ખરાબ આચરણના ગેરફાયદા તેમણે આ ગરબીઓમાં વર્ણવ્યા છે. આ બધી વસ્તુએ તેમણે કુલ ૨૪ ગરમી અને “સદ્બાધશતક ”માં વર્ણવેલ છે. અને તે માટે “ સ્ત્રીનીતિાધક વિભાગ ૧”ના ચાર ભાગ પાડયા છે. २०२ ભાગ ૧ આ પુસ્તકના પહેલા ભાગમાં આઠ ગરબીઓ આપવામાં આવી છે. તેમાં ત્રણ ગરબીએ પરમેશ્વર વિશે, ત્રણ ગરખી ઉદ્યમ વિશે, એક ગરમી ક્ષણભગુર દેહ વિશે અને એક ગરમી માતાએ પુત્રીને દીધેલી શિખામણ વિશે છે. પહેલી ગરમી પરમેશ્વરને પ્રાર્થના” નામે છે. તેમાં ઈશ્વરનાં ગુણગાન કર્યાં છે. ઈશ્વર દયાળુ છે, સુખકર્તા છે, સૃષ્ટિ સરજનહાર છે, કૃપાળુ છે, ઇત્યાદિ ગુણાનો પરિચય તેમાં કરાવ્યા છે. તેમાં ઈશ્વર પાસે પ્રાથ્યુ` છે કેઃ— 16 અહી પણ તેમની દેશહિત કરવાની ભાવના અછાની રહેતી નથી. ખીજી ગરમી “ પરમેશ્વરને ભજવા વિશે” છે. તેમાં ઈશ્વરને શ્રદ્ધાપૂર્વક ભજવા જોઈએ, તે વાત કર્તાએ ભારપૂર્વક જણાવી છે. તેને ભજવાથી ગર્વ ગળી જાય છે, મેાક્ષ મળે છે, વગેરે ફાયદા થાય છે, તે બતાવી ઈશ્વર કેવા છે તે જણાવતાં તેમાં લખે છે કે — 66 દેશહિત દયાળુ કરાવ, નમુ· તને હેતે રે; જેથી ઊપજે આનંદ્ય ભાવ, નમું તને હેતે રે. ” “દુઃખ વિદારણ દેવતા, ભજવા તેને નિત્ય; દામ ન લેશે કેાઈ એ, માટે કર એથી પ્રીત, મારે છે જે ગવને, જેના માટા ઉપકાર; તેને જ શાણી સ્નેહથી, ભજજે ડાહી તું નાર. ”પ ૫. સુખાધસ ગ્રહ ', પૃ. ૧૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004816
Book TitleShrimadni Jivan Siddhi
Original Sutra AuthorN/A
AuthorSaryuben R Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year1987
Total Pages704
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy