SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ શ્રીમદ્ની જીવનસિદ્ધિ તે પછીના “ મહાવીર શાસન' નામના પુરુમા પાઠમાં વિશાળ વિષયને સુંદર શૈલીથી તેમણે સમાવ્યા છે. આ પાઠમાં મહાવીર પ્રભુનુ જીવન સક્ષેત્રમાં જણૢાવવાની સાથે એ પણ કહ્યું છે કે તેમનુ ધર્માંતી એકવીસ હજાર વર્ષ પર્યંત પ્રવશે. તે શાસન દરમ્યાન લેાકાના આચારવિચાર કેવા હશે તેની રૂપરેખા પશુ આપી છે. અને એ બધી જ જાળમાંથી મુક્ત થવા માટે શ્રીમદ્દે આ પાઠના અંતમાં ભલામણ કરી છે કે ઃ— “આપણે આપણા આત્માના સાર્થક અથે મતભેદમાં પડવું નહિ. ઉત્તમ અને શાંત મુનિના સમાગમ, વિમળ આચાર, વિવેક, દયા, ક્ષમા એનુ' સેવન કરવું, મહાવીરતી ને અર્થે અને તેા વિવેકી એધ કારસહિત આપવા, તુબુદ્ધિથી શકિત થવું નહિ. એમાં આપણુ' પરમ મગળ છે તે વિસર્જન કરવું નહિ, પ૧ સાધુઓએ પાળવાની બ્રહ્મચર્યની નવ વાડના નિયમમાં એક તેા સ્નાન કરવાની મનાઈ છે, તેની ચેાગ્યતા દર્શાવતા ખુલાસે શ્રીમદ્દે “અશુચિ કાને કહેવી ? '' નામના ૫૪મા પાઠમાં “સત્ય ” અને “જિજ્ઞાસુ ”ના સંવાદરૂપે આપ્યા છે. દેહની અશુચિ એ સાચી અશુચિ નહિ, પણ આત્માની મલિનતા એ સાચી અગ્નિ છે, તેથી તેના નાશ કરવા તરફ પ્રભુએ ‘ ભાર મૂકથો છે. શરીર જ મિલનતાથી બનેલુ' છે. તેથી તે સ્નાનથી શુદ્ધ ન થઈ શકે. વળી, સાધુને સસારી જેવી શરીરની અશુચિ થતી નથી, તેથી તેમને સ્નાનની આવશ્યકતા નથી, એ અહ' સરળ ભાષામાં જણાવ્યું છે. ઓમ જુદાં જુદાં સૂચના અપાયા પછી, શ્રાવકે પેાતાના જીવનમાં કર્યેા નિત્યક્રમ અપનાવવા જોઈ એ તે વિશે ૫૫ મા “ સામાન્ય નિત્યનિયમ ” નામના પાઠમાં માદન અપાયું છે. તેમાં નવકારમંત્રના જાપ, સામાયિક, પ્રતિક્રમણ વગેરે ઉપરાંત દાન વગેરેની ભલામણ પણ કરવામાં આવી છે. એનુ સૂક્ષ્મતાથી પાલન કરવું' તે મ’ગળદાયક છે, એમ આ પાઠમાં કર્તાએ દર્શાવ્યું છે. સામાન્ય નિત્યનિયમ જેવા જ, આત્માને ઉજ્જવળ કરવામાં ઉપયેાગી ૩૨ ખેલના સંગ્રહ “ ખત્રીસ યાગ ” નામના ૭૨ મા પાઠમાં અપાયા છે, તેમાં સાધુ શ્રાવક સને લાગું પડે તેવા નિયમો ટૂંકાં વાકયોમાં જણાવ્યાં છે. ઉદાહરણ તરીકે, “ મમત્વને ત્યાગ કરવા, ” પેાતાનો દોષ સમભાવપૂર્વક ટાળવા ” વગેરે સત્પુરુષાએ જણાવેલા આચારમાંના ૩૨ નિયમ લેખકે બહી' આપ્યા છે. તેમણે અમૂલ્ય ગણાવેલાં આ વચના, તેમણે રચેલાં “ પુષ્પમાળાં ”, “ વચનસપ્તશતી ”, “ વચનાવલી” વગેરેની યાદ આપે તેવાં છે. '' '', ** આ બધા ઉપરાંત મેાક્ષમાળા ”માં “ સમાજની અગત્ય ”, “ મનેાનિગ્રહમાં વિઘ્ન ’’, વગેરે કેટલાક પાડાની પણ તેમણે રચના કરી છે, જે કાઈ ખાસ વિભાગમાં ન આવતા સ્વતંત્ર જેવા છે, અને તેમ છતાં તે કેટલાક ધાર્મિક પ્રશ્નોનું સમાધાન કરનાર છે. તેથી તે બધાની મેાક્ષમાર્ગની પ્રાપ્તિના સહાયક પાઠ તરીકે ગણતરી કરી છે. 49.66 શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૯૭, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004816
Book TitleShrimadni Jivan Siddhi
Original Sutra AuthorN/A
AuthorSaryuben R Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year1987
Total Pages704
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy