SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. જીવનરેખા Lot ૧૩. પુસ્તકની રાહે · વિ. સ’. ૧૯૫૬ના અષાડ મહિનામાં શ્રીમદ્ વવાણિયાથી મારી આવ્યા હતા. તે અરસામાં એક દિવસ બપારે મનસુખભાઈ કીરતચંદ મહેતા તેમના કામ અગે ટપાલ આક્ષેિ ગયા હતા. તે વખતે પાસ્ટ માસ્તરે શ્રીમદ્ માટેનુ એક રજિસ્ટર મુકપેાસ્ટ શ્રીમદ્ન જલદી પહોંચે તે માટે મનસુખભાઈ ને આપ્યું. તેઓ તે લઈ ને શ્રીમદ્દના ઘર તરફ જવા નીકળ્યા. શ્રીમદ્ના ઘર નજીક આવ્યા ત્યારે તેમણે જોયુ* કે ખરા અપેારના સમયે ટોપી પહેરેલા શ્રીમદ્ ડેલી બહાર કાઈની રાહ જોતા ઊભા છે. મનસુખભાઈ તેમની પાસે પહેાંચ્યા ત્યારે શ્રીમદ્રે કહ્યું કે, “તમે અમારું પુસ્તક લઈને આવા છે, તેની રાહ શ્વેતાં અમે ઊભા છીએ. ૰૧૭૨ ૧૪. વગર કહ્યું જાણી લીધું — વિ. સ. ૧૯૫૫માં મનસુખભાઈ કી. મહેતાએ તેમના એક સ્નેહીને શ્રીમના સમાગમ તથા લાભની વાત લખી હતી. તે ભાઈ પાલીસખાતામાં નાકરી કરતા હતા. માયાકપટવાળી એ નાકરીથી તે ખૂબ અળાતા હતા. તેથી તેમણે એક કાગળ પર એ બધી વિગત અને ખીજા 'કાગળ પર શ્રીમને પૂછવા માટે એક જ્ઞાનપ્રશ્ન લખીને બંને કાગળા મનસુખભાઈ ને માકલી આપ્યા. મનસુખભાઈ એ પ્રશ્ન લઈ શ્રીમદ્ પાસે ગયા, અને વાતચીત કર્યા પછી કાઈ ભાઈ એક પ્રશ્નના ઉત્તર ઇચ્છે છે. એમ ક્ડી તે પ્રશ્ન તેમની સમક્ષ રજૂ કર્યા. પ્રશ્નના ઉત્તર આપવા પહેલાં શ્રીમદ્દે તે ભાઈની આખી પરિસ્થિતિ કહી...ફૂલાણા ભાઈ પૂછે છે? માયાકપટભરી નાકરીથી બહુ મૂ ય છે? વગેરે. આથી ચિત થઈ મનસુખભાઈ એ શ્રીમને પૂછ્યું, “શું આપના પર આ બાબતના તેમના પત્ર આવ્યા છે ? ” શ્રીમદ્દે કહ્યું, “ના, પણ તમારા પર આવ્યા છે ને શું?” આમ મનસુખભાઈ ને ઘેર આવેલા પત્ર વિશે શ્રીમદ્ જ્ઞાનથી જાણી લીધુ હતુ. એ ભાઈ સાથે શ્રીમને કોઈ જાતના પરિચય ન હતા, તેમજ તેમના વિશે કાઈ માહિતી પણ આપી શકે તેમ ન હતું, તેની મનસુખભાઈને ખાતરી જ હતી.૧૭૩ ૧૫. મનસુખભાઈને આશ્વાસન — વિ. સં. ૧૯૫૫માં એક વખત શ્રીમદ્ સાથે જ્ઞાનચર્ચા કરીને મનસુખભાઈ પોતાને ઘેર આવ્યા. શ્રીમદ્ જેવા ઉત્તમ પુરુષના યોગ મળવાથી એક બાજુ આનંદ હતા, તેા ખીજી બાજુ પાતે વિષયકષાયથી ભરપૂર હાવાથી ખેદ થતો હતો. તે ખેદ્યની વાત તેમણે તેમનાં પત્નીને કરી, છતાં તે ખેદ શમ્યા નહિ. બીજે દિવસે તેઓ શ્રીમદ્ પાસે ગયા ત્યારે સૌપ્રથમ શ્રીમદ્દે તેમને કહ્યું કે, “ મનસુખ, વિશેષ થઈ શકે તે સારુ, જ્ઞાનીઓને સદાચરણુ પણ પ્રિય છે, ખેદ કવ્યા નથી.” મનસુખભાઈ એ શ્રીમદ્દને પેાતાના ખેદ જણાવ્યા ન હતો, છતાં તે જાણીને શ્રીમદ્દે તેનુ સમાધાન કર્યું હતું.૧ ૧૭૪ ૧૨. શ્રીમદ્ રાજચંદ્રની જીવનરેખા '', પૃ. ૨૩, ૧૭૩. “ શ્રીમદ્ રાજચંદ્રની જીવનરેખા '', પૃ. ૧૯. ૧૭૪. એજન, પૃ. ૧૮. સામાના મનના પ્રશ્નો જાણી, તે પૂછે તે પહેલાં જ તેને ખુલાસ 66 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004816
Book TitleShrimadni Jivan Siddhi
Original Sutra AuthorN/A
AuthorSaryuben R Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year1987
Total Pages704
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy