SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. જીવનરેખા “ અનાદિથી અત્યંત અજ્ઞાનદશાએ આ જીવે પ્રવૃત્તિ કરી એકદમ અસત્ય અને અસાર સમજાઈ, તેની નિવૃત્તિ સૂજે એમ બનવુ' માટે જ્ઞાની પુરુષના આશ્રય કરવા રૂપ ભક્તિમાગ જિને નિરૂપણ માર્ગ આરાધવાથી સુલભપણે જ્ઞાનદશા ઉત્પન્ન થાય છે.”૧૫૨ 66 આત્મજ્ઞાન દુર્ગામ્ય પ્રાયે દેખીને નિષ્કારણ કરુણાશીલ એવા તે સત્પુરુષાએ ભક્તિમાર્ગ પ્રકાશ્યેા છે; જે સવ અશરણને નિશ્ચળ શરણરૂપ છે, અને સુગમ છે, ”૧૫૩ શ્રીમદ્ આત્મજ્ઞાન પામવા માટે, ઉપર જોયાં તે અવતરણા પ્રમાણે, ભક્તિમાર્ગને શ્રેષ્ઠ ગણ્યા હતા. અને તેથી ધર્મનાં મતાંતર જોઈ તેમના દિલને બહુ દુ:ખ થતું. નાના નાના ભેદો માટે લડી મરીને જીવને પેાતાનું કલ્યાણ જ કરવુ' ચૂકી જતા દેખી તેમના અંતરમાં ખૂબ વેદના થતી. આ મતાંતા જોઈ તેમની આંખેામાં આંસુ આવી જતાં. વર્ષોમાં એએક દિવસના ફેરથી એ પર્યુષણ પળાય, તિથિ પણ જુદી જુદી પળાય, એવા નાના ભેદોમાં રાચતા લાકોને આત્મકલ્યાણુ કરવાનું ચૂકી જતાં જોઈ તેમનુ હૃદય ખડું દ્રવી ઊઠતું. આથી તેવાં મતમતાંતરથી દૂર રહેવાની જ ભલામણ તેમણે સત્ર કરી છે. જનમાર્ગ માં અનેક મત થવાનાં કારણની ચર્ચા તેમણે “ મેાક્ષમાળા ” તથા “ પ્રતિમાસિદ્ધિ”ના લેખમાં કરી છે. તેમાં તેમ થવાના મુખ્ય કારણરૂપે શ્રીમદ્ એ જણાવે છે કે, ઉપાસક વર્ગનું તત્ત્વજ્ઞાન ભણીથી લક્ષ ચલિત થઈને ક્રિયાભાવ તરફ ગયું છે. આ ઉપરાંત પેાતાની શિથિલતાને લીધે કેટલાક પુરુષોએ નિન્થ દશાની પ્રાધાન્યતા ઘટાડી હોય, એ આચાર્ચીને પરસ્પર વાદવિવાદ, માહનીય કર્મના ઉદય, ગ્રહાયા પછી તે વાતના માગ મળતો હાય તોપણ દુર્લભમાધિતાને લીધે ન ગ્રહવા, મતિની ન્યૂનતા વગેરે અન્ય કારણા પણ તેમણે “ પ્રતિમાસિદ્ધિ ”માં જૈનમાર્ગમાં મતમતાંતર વધવા માટે ગણાવ્યાં છે. આ ઉપરાંત કેટલાક પત્રામાં પણ આ વિશેનાં કારણેાની તેમણે છૂટક છૂટક ચર્ચા કરેલી જોવા મળે છે. વીતરાગપ્રણીત ધર્મમાં અનેક મતભેદ જોતાં તેમનુ અંતર ખૂબ દુ:ખી થતું હતું. આથી સ મતભેદરહિત, આત્મજ્ઞાન પામવાના વીતરાગના માર્ગ લેાકા પાસે પ્રકાશવાની તેમને તીવ્ર અભિલાષા હતી. અને તેમની તે અભિલાષા તેમણે નાની વયમાં લખેલ પત્રામાંથી પ્રગટ થાય છે. પછીથી તો તે અભિલાષાને કહૃદયના કારણે તેમણે અંતરમાં ભડારી મૂકથા જેવી કરી હતી, અને જ્યારે ૩૩મે વર્ષે સ`સગપરિત્યાગ કરી મા પ્રકાશવાની તૈયારી શરૂ કરી ત્યારે મિયતે યારી ન આપી! ૩૪મે વર્ષે તો તેમના દેહવિલય થયે ! ૧૩ વીતરાગમાગ પ્રવર્તાવવાની બાબતમાં શ્રીમદ્ ૨૦મે વર્ષે પેાતાના બનેવીને લખ્યુ હતુ' કે :~ છે. તે પ્રવૃત્તિ બહુ કઠણ છે, કર્યાં છે, કે જે ૧૫૨. શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૪૫૪. ૧૫૩. એજન, પૃ. ૪૯૧, r Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004816
Book TitleShrimadni Jivan Siddhi
Original Sutra AuthorN/A
AuthorSaryuben R Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year1987
Total Pages704
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy