SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૩ થતાં તને પેળે દિવસે તારા જેવાને વખત આવશે. સહેજ પણ ગફલતમાં રહીશ તે નવું કર્મ બંધાઈ જશે. આજે મળેલી ચારણાગતિને ભાવ છેવાઈ જશે. પછી તારી દશા અત્યંત દયામણું બની રહેશે. તુ એમ કદી ન માનીશ કે ધનથી હેકટરથી, પત્નીથી કે પુત્રેથી તને આ દુઃખમાં શાંતિ મળી જશે. કદાપિ નહિ, અનાથી મુનિના જીવન ઉપર જરા નજર નાખ. કેવી બૂમરાણ મચાવી હતી! કેવી કાકલુદી ભરી વિનવણી કરી હતી ! કેવા મર્માળા ઠપકો આપ્યા હતા! છતાંય કે એના દુઃખને લેશમાત્ર પણ ટાળી શકયું ન હતું. જ્યારે હૃદયમાં શરણાગતિને ભાવ જાગે કે તરત જ એ વેદના ઓસરવા લાગી અને સાથે જ એ ભાવ પરાકાષ્ટાને પામી ગયે. એનાથી એ મુનિ બન્યા, જીવન ધન્ય બનાવી ગયા. આવેલી આપત્તિમાંય શરણાગતિના ભાવની સંપત્તિ તારી કરી લે. તું એના પર સ્વામિત્વ મેળવી લે કે સ્વામિત્વ સમગ્ર વેદનાને ભડકે બાળી ભડથું કરી નાખે. વેદનાની આગ વચ્ચે પણ તને પરમ શાંતિ આપવાનું દિવ્ય કરી બતાવે. સાવધાન થા, જરા કઠોર બન રેઈશ નહિં, રેવાથી દુઃખ જવાનું નથી બલકે વધવાનું છે. આવા સમયે તે વિચારી લે અધ્યવસાયના તેફાનથી નીપજતા કર્મો અને વેદનાને, તુચ્છ સુખે ખાતર ભાન ભૂલીને તે શું કર્યું! હવે સંકલ્પ કરી લે કે ફરી કદાપિ આવાં પાપ નહિ કરું. સદૈવ મારા નાથને સમર્પિત રહેવા યત્નશીલ બનીશ. (૫) હવે તું દેવાધિદેવને શરણે આવ્યું છે. ગમે તેવી આપત્તિમાંચ તારે હવે દીનતા રાખવાની રહેતી નથી, ધીરજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy