SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ અનંતજ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય, અરૂપીપણું, અખંડતા, અજરામરપણું, અવિનાશીપણું સિદ્ધ પ્રભુમાં પ્રગટ રૂપે છે. મારામાં તે ગુણે શક્તિ રૂપે તે છે જ, તેને પ્રગટ કરવાનો પ્રયત્ન કરતાં હું પણ આધિ વ્યાધિ અને ઉપાધિના દુઃખથી મુક્ત થઈ અજરામર બની જઈશ. પદસ્થ ધ્યાનમાં કમરની નીચેના અંગ તરફ પ્રથમ લક્ષ રાખી, પછી પિંડસ્થ ધ્યાનમાં કમરની ઉપરના અંગ તરફ લક્ષ ચડાવે, પછી રૂપસ્થ ધ્યાન તે ગ્રીવા અથવા ડિકની ઉપરના અંગ તરફ લક્ષ ચડાવે, પછી રૂપાતીત ધ્યાનમાં સર્વ શરીર–વ્યાપક આત્મામાં લક્ષને સ્થિર કરે, એમ મન અને શરીરનું નિર્ધન કરી, પછી આન્મ દ્રવ્ય અને તેની પર્યાયમાં ધ્યાનથી ચિંતન કરે. આ શુકલ ધ્યાનને “પૃથકૃત્વ વિતર્ક નામને પ્રથમ પાયે જાણો. પછી દ્રવ્ય અને પર્યાયમાં સંચરવાનું છોડી આત્મ દ્રવ્યમાં જ સ્થિર થઈ જાય તે શુકલ ધ્યાનને “એકત્વ વિતર્ક નામને બીજે પાયે જાણો. આ ધ્યાન વડે શ્રેણ સંપન્ન બની આત્મગુણમાં ગરકાવ થઈ જતાં, ચાર ઘનઘાતી કર્મને નાશ કરી, કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રગટ કરે. તે શુકલ ધ્યાનને “સુક્ષ્મ કિયા પ્રતિપાતિ નામને ત્રીજો પામે છે. તે પ્રાપ્ત કરી આયુષ્યના અંત સુધી પ્રવર્તતાં સ્વભાવથી જ શુકલ ધ્યાનને એથે પાયે “સમુચ્છિન્ન ક્રિયા નિવૃત્તિ આવતાં જ, વેદનીય, આયુષ્ય, નામ અને ત્ર આયુષ્યની સાથે ખપાવીને એકી સાથે સર્વશે કર્મને ક્ષય કરી સિદ્ધ ભગવાન બની પરમ સુખી બની જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy