SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ છે ઈદ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન, પાંચ ઈદ્રિયના વિષયનું, પણ આત્માને ભાન. પર દેહ ન જાણે તેહને, જાણે ન ઈદ્રિય પ્રાણ આત્માની સત્તા, વડે, તેહ પ્રવતે જાણ. સર્વ અવસ્થાને વિષે ન્યારે સદા જણાય; પ્રગટરૂપ તિન્યમય, એ એધાણે સદાય. ઘટપટ આદિ જાણ તું; તેથી તેને માન; જણનાર ને માને નહીં, કહિયે કેવું જ્ઞાન ? પરમ બુદ્ધિ કૃષ દેહમાં સ્થૂળ દેહ મતિ અલ્પ; દેહ હોય જે આત્મા, ઘટે ન આમ વિકલ્પ જડચેતન તે ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ એકપણું પામે નહીં, ત્રણે કાળ દ્રવ્યભાવ. આત્માની શંકા કરે, આત્મા પોતે આપ; શંકાને કરનાર તે અચરજ એહ અમાપ. (શંકા-શિષ્ય ઉવાચ) (આત્મા નિત્ય નથી. એમ શિષ્ય કહે છે) આત્માના અસ્તિત્વના, આપે કહ્યા પ્રકાર; સંભવ તેને થાય છે, અંતર કરે વિચાર. બીજી શંકા થાય ત્યાં, આત્મા નહીં અવિનાશ; દેહયેગથી ઉપજે, દેહ વિગ નાશ. અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય, એ અનુભવથી પણ નહીં, આત્મા નિત્ય જણાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy