SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રમાં આચાર્યશ્રી જણાવે છે કે માહિ. અર્જ, વિડિર, પવરિત્ર, ૩95, મદ, પરિષ્ઠિર, ગરમ, વિકq ૩M, આ બધા શબ્દોનું વ્યાકરણ થઈ શકતું નથી, તેથી આ શબ્દ મહારાષ્ટ્ર તથા વિદર્ભ વગેરે દેશમાં પ્રસિદ્ધ છે એટલે તેમના અર્થો તે તે દેશના લોકો પાસેથી જાણી લેવા. પ્રસ્તુત ૧૪મા સૂત્રમાં બીજા આવા ઘણું વિલક્ષણ શબ્દ નોંધેલા છે. આ પછી ૧૭૫ માં સૂત્રથી આ પાકના અંત સુધી એટલે ૨૧૮ મા સૂત્ર સુધી અનેક અવ્યયને તેમના અર્થ સાથે સૂચવેલાં છે અને આ સાથે બીજું પાદ પૂરું થાય છે. હવે ત્રીજા પાદમાં ત્રણેય લિંગના સવરાત, બારાત, દૂa ફક્ત વર્ષ ईकारान्त, ह्रस्व उकारान्त, दीर्घ ऊकारांत हस्व ऋकारांत, एकारांत, ओकारान्त को નામેનાં રૂપની સાધના બતાવેલી છે. જ્યાં જ્યાં નામને લાગતા પ્રત્યયો સંસ્કૃતથી જુદા છે તે પણ બધે બતાવેલા છે. રઝન શબ્દ સિવાય અને બારમન શબ્દ સિવાય બીજા કોઈ પણ વ્યંજનાન્ત શબ્દોનાં રૂપો આ પાદમાં બતાવેલ નથી. ત્રીજા પારના ૫૮ મા સૂત્રથી સર્વાદિ શબ્દોનાં રૂપો ૮૯ મા સૂત્ર સુધી બતાવેલાં છે. ત્યાર બાદ ૯૦મા સૂત્રથી ૧૦૪ સૂત્ર સુધી યુત્ શબ્દનાં તમામ વિભક્તિનાં અનેક-અનેક રૂપ બતાવેલાં છે. ૧૦૫ થી ૧૧૭ સૂત્ર સુધી પ્રશ્નાર્ શબ્દનાં તમામ વિભક્તિનાં અનેક અનેક રૂપ બતાવેલ છે. ત્રીજા પાદમાં ૧૧૮ મા સૂત્રથી ૧૨૨ મા સૂત્ર સુધી સંખ્યાવાચક ત્રિ, f અને ચતુર શબ્દોનાં અમુક અમુક રૂપિની સાધના કરી બતાવેલ છે અને ૧૨૩ મું સૂત્ર સામાન્ય સંખ્યાવાચક શબ્દને લાગુ પડે છે. ૧૨૪મા સૂત્રમાં એમ જણાવેલ છે કે નામનાં રૂપ વિશે કાંઈ કહેવાનું બાકી રહી ગયું હોય તે બધું ગમે તે સ્વરાંત નામો માટે અકારાન્ત નામોનાં રૂપની સાધના પ્રમાણે સમજી લેવાનું છે. ત્રીજા પાદના ૧૨૫ મા સૂત્રથી ૧૨૯ભા સૂત્ર સુધી નામોને લગતા પ્રત્યય સંબંધી આદેશ વિશે ખાસ સૂચન કરેલું છે. આ પછી ૧૩૦માં સૂત્રમાં પ્રાકૃતમાં દ્વિવચનને બદલે બહુવચન વાપરવાનું વિધાન કર્યા પછી ૧૩૧થી માંડીને ૧૩૭માં સૂત્ર સુધી વિભક્તિઓના ફેરફાર વિશે તથા દ્વિતીયા વગેરે વિભક્તિઓને બદલે વઠી, સપ્તમી, દ્વિતીયા વગેરે વિભક્તિઓ વપરાય છે એવું વિધાન ઉદાહરણ સાથે સમજાવેલું છે. ૧૩૭મા સૂત્ર સુધી નામનાં રૂપોને લગતાં વિધાન પૂરાં થાય છે, અને ૧૩૮ થી ૧૮રમા સૂત્ર સુધી પ્રાકૃતનાં વપરાતા નામધાતુ તથા પ્રાકૃતમાં વપરાતાં ક્રિયાપદને લગતા ત્રણે પુરુષના એકવચન અને બહુવચનના પ્રત્યયોની ચર્ચા કરેલી છે. તથા આ વિધાનની વચ્ચે પ્રેરક ક્રિયાપદની તથા ભાવે પ્રયોગ અને કર્મણિપ્રયાગના ભૂતકૃદન્તની પણ ચર્ચા આવે છે. સ્વરાંત ધાતુને લાગતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004814
Book TitleSiddhahemshabdanushasana Part 3
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages534
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy