SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ WW Jain Education International 41 આપણે એવા રચિયતાઓનાં કેટલાંક પુણ્ય નામો અત્રે સ્મરીને તેઓને વંદન કરવાં જોઈએ, જેમાં પંડિત શ્રી વીરવિજયજી, ઉપા. સકલચંદ્રજી પં. ઉત્તમવિજયજી, પં. રૂપવિજયજી, પં. પદ્મવિજયજી, શ્રી જ્ઞાનવિમલસૂરિ, શ્રી દેવચંદ્રજી, શ્રી વિજયલક્ષ્મીસૂરિ, શ્રીમદ્ યશોવિજયજી, શ્રી દીપવિજયજી, શ્રી આત્મારામજી, શ્રી માણેક સિંહસૂરિ, શ્રી બુદ્ધિસાગરસૂરિ, પં. શ્રી ક્ષમાલાભજી, શ્રી મેઘરાજ મુનિ, શ્રી ધર્મચંદ્રજી. આ ઉપરાંત આધુનિક ગીતિકારોનાં નામો પણ ભૂલ્યાં ભુલાય તેમ નથી ! મારા પૂજ્ય પિતાશ્રી (સ્વ. મણિલાલ ઉગરચંદ શાહ) ને પૂજા તરફ અત્યંત અનુરાગ હતો. ને પૂજા સંગ્રહ તેઓને માટે લગ્નપ્રસંગ જેવા ઉલ્લાસનો પ્રેરક હતો. તેઓશ્રીનું અહીં સંસ્મરણ કરી, એ દેહઉપકારીના નિમિત્તે ભવઉપકારક પૂજાઓ સહુ સમક્ષ રજૂ કરી કૃતાર્થ થાઉં છું. આ પુસ્તકના રૂપરંગમાં મારા મિત્ર શ્રી જયભિખ્ખુનો મોટો હિસ્સો છે, તેની નોંધ લઉં છું. શ્રી જશવંતલાલ શાહે પોતાનો પ્રયત્નહોવા છતાં આ શ્રેય મને આપ્યું, તે તેમની આત્મીયતા દાખવે છે. લાલભાઈ મણિલાલ શાહ શ્રી જીવનમણિ સાચનમાળા ટ્રસ્ટ, નવા વિકાસગૃહ, ઓપેરા સોસાયટી, અમદાવાદ-૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004811
Book TitleVividh Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1995
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy