________________
એક બાજું ત્રણ મલિન લેશ્યાઓ છે, બીજી બાજુ ત્રણ પ્રકાશમય લેશ્યાઓ છે. ત્રણ લેશ્યાઓ પ્રશસ્ત છે અને ત્રણ વેશ્યાઓ અપ્રશસ્ત. કાળો રંગ, નીલો રંગ અને કાપોતી (રાખોડી)રંગ - આ ત્રણે રંગો અને ત્રણે રંગોની લેશ્યાઓ - કૃષ્ણ, નીલ અને કાપોત લેશ્યા અપ્રશસ્ત છે. જયારે વ્યક્તિના મનમાં આ લેશ્યાઓના સ્પંદનો જાગે છે ત્યારે તેનામાં હિંસા, ઇર્ષા, ધૃણા અને ભયના ભાવો જાગૃત થાય છે. લાલ રંગ, પીળો રંગ, શ્વેત રંગ -આ ત્રણે રંગો અને આ ત્રણેય રંગોની લેશ્યાઓ - તેજસ, પદ્મ અને શુક્લ પ્રશસ્ત લેશ્યાઓ છે. જ્યારે તેમનાં સ્પંદનો જાગે છે ત્યારે વ્યક્તિના ભાવો નિર્મળ બને છે, અભય, મૈત્રી, શાંતિ, ક્ષમા વગેરે પવિત્ર ભાવોનું નિર્માણ થાય છે.
જે વ્યક્તિ શુક્લ લેશ્મામાં, પદ્મ લેશ્યામાં અને તેજસ લેશ્યામાં પહોંચી જાય છે, તે વ્યક્તિને નિયંત્રણની આવશ્યકતા ખૂબ ઓછી રહે છે. જે વ્યક્તિ વીતરાગ બની ગઇ, તેના માટે નિયંત્રણની જરૂર જ રહેતી નથી. જે વ્યક્તિ અપ્રમત્ત અવસ્થામાં ચાલી જાય છે, તેને માટે નિયંત્રણની શી જરૂર ?
લેશ્યા-ધ્યાનના માધ્યમથી લેશ્યાઓનાં પરિવર્તન દ્વારા વ્યક્તિનું જીવન સારું થઇ શકે છે. જયારે કૃષ્ણ, નીલ અને કાપોત આ ત્રણેય લેશ્યાઓ બદલાઇ જાય છે અને તેજસ, પદ્મ અને શુક્લ એ ત્રણે લેશ્યાઓ અવતરિત થાય છે, ત્યારે પરિવર્તન અચૂક થાય છે. લેશ્યાઓના બદલાયા સિવાય જીવન બદલાઇ શકતું નથી.
Jain Education International
૫
For Private & Personal Use Only www.jainelibrary.org