________________
વિજાતીય છે, મારું નથી. તે રહે કે ન રહે એથી મારે શું? સમય આવ્યે સર્વને છોડી દઇશ.બુત્સર્ગ-ચેતનાથી ત્યાગની શક્તિ પ્રબળ બને છે.
આ જ આપણું ગંતવ્ય સ્થાન છે, આ જ આપણી મંજિલ છે. જેમ જેમ ચેતનાનો વિકાસ થશે, જેમ જેમ વિકલ્પોને ઓછો કરતાં કરતાં નિર્વિકલ્પ ચેતનાની ક્ષણોમાં જીવવાનો અભ્યાસ થશે, તેમ તેમ આ ચેતના પુષ્ટ થશે અને ચેતનાનો તે અનંત સાગર એક દિવસ નિસ્તરંગ અને ઊર્મિવિહીન બની જશે. તે પરિસ્થિતિમાં, તે પરમ સત્યનો સાક્ષાત્કાર થશે કે જેને માટે હજારો લોકો સદા ઉત્સુક રહે છે.
સમાપ્ત
54
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org