________________
હોય છે. આ બંને પ્રકારના પરમાણુઓ એકબીજાના વિરોધી છે. જયાં સુધી કાળા રંગના પરમાણુઓનો પ્રભાવ ચાલુ રહે છે, ત્યાં સુધી આપણે જીતેન્દ્રિય બની શકતા નથી. જયારે પીળા રંગના પરમાણુઓથી આપણું વેશ્યા-તંત્ર અને આભામંડળ સક્રિય બને છે ત્યારે આપણને જીતેન્દ્રિય બનવાની અનુકુળતા સાંપડે
શુકલ-વેશ્યાનું ધ્યાન અને ફળ
શુક્લ વેશ્યાનો રંગ પૂર્ણિમાના ચંદ્રમા જેવો સફેદ છે. શ્વેત રંગ પવિત્રતા, શાંતિ, શુધ્ધિ અને નિર્વાણનો ધોતક છે. તેઓ-લેશ્યા અને પદ્મ-લેશ્યા દ્વારા વધેલી ગરમીને શુક્લ-વેશ્યા ઉપશાંત કરી દે છે, અને નિર્વાણ સંભવિત બને છે. શુક્લ-લેશ્યા ઉત્તેજના, આવેગ, આવેશ, ચિંતા, તાણ, વાસના, ક્રોધ આદિ કપાય વગેરેને શાંત કરી પૂર્ણ શાંતિનો અનુભવ કરાવે છે. આત્મ-સાક્ષાત્કાર
સાવક એવું ન માની લે કે તેજસ્ લેયા અને પદ્મ લેશ્વાના સ્પંદનો પકડમાં આવી ગયા એટલે યાત્રા સફળ થઈ ગઈ. તેથી આગળની યાત્રા તો હજી બાકી છે. ઇન્દ્રિય - ચેતના,મનસ્થ ચેતના અને ચિત્તની ચેતનાવાળા શરીરમાં એક એવું તત્ત્વ પણ છે જે આ બધી ચેતનાઓથી પર છે, તેનો સાક્ષાત્કાર આપણને અભિષ્ટ છે. આત્મ-સાક્ષાત્કાર જ લેશ્યા-ધ્યાનનું લક્ષ્ય છે, જે શુકલ-લેશ્યાના ધ્યાનથી પ્રાપ્ત થાય છે. આ બિન્દુ પર પહોંચીને જ આપણે ભૌતિક અને આધ્યાત્મિક જગતના અંતરને સમજી શકીએ છીએ.
આત્મ-સાક્ષાત્કારની મહત્વપૂર્ણ પ્રક્રિયા છે – નિર્વિકલ્પ ચેતનાનું નિર્માણ. અથથ ચેતના
જે દુનિયામાં નિર્વિકલ્પ ચેતનાનું મહત્ત્વ છે, તે તો ખરેખર કોઈ બીજા જ પ્રકારની દુનિયા છે. આ કાલ્પનિક વાત નથી. આ યથાર્થ છે. જયારે આ ચેતના જાગૃત થાય છે ત્યારે બધી જ અસમાધિઓ દૂર થઈ જાય છે. સૌથી પહેલું સુફળ છે –અવ્યર્થ ચેતનાની જાગૃતિ નિર્વિકલ્પ ચેતનામાં જીવનાર વ્યક્તિ નિર્ભથ જીવન જીવે છે. તેની ચેતનામાં વ્યથા હોતી નથી. તેની સામે ગમે તેવું પ્રતિકૂળ વાતાવરણ ઉપસ્થિત થાય, ભયકંર પરિસ્થિતિઓ અને સમસ્યાઓ આવે, તો પણ તે કદી વ્યથિત થતો નથી. જેવી રીતે સૂતેલી વ્યક્તિની સામે થનાર ઘટનાની તેની
52 For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org