SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ છે – ચેતનાની પદાર્થ-પ્રતિબદ્ધતાને તોડી નાખવી. પદાર્થનો ઉપયોગ જરૂર થશે, = પરંતુ ચેતના પદાર્થ સાથે પ્રતિબદ્ધ નહીં થાય. ઉપયોગ કરવો અને પ્રતિબદ્ધ થવું બન્ને જુદી જુદી વાત છે. રોટલી ખાવી એ પદાર્થની ઉપયોગિતા છે, રોટલી સાથે બંધાઇ જવું - તે તેની પ્રતિબદ્ધતા છે. જેની ચેતના જાગી જાય છે તે પણ રોટલી ખાય જ છે. ધ્યાન કરનાર સાધક પણ રોટલી ખાય છે, પાણી પીએ છે, પાસે પૈસા રાખે છે. આ બધાં જીવન માટે જરૂરી સાધનો છે. તે બધાને માટે ઉપયોગી છે. ધ્યાન કરવાનો એ અર્થ નથી કે પદાર્થોથી અળગા થઇ જવું. ધ્યાનથી પદાર્થ છૂટી નથી જતો. જયાં સુધી જીવન છે, ત્યાં સુધી પદાર્થ છોડી શકાતો નથી. આધ્યાત્મિક બનવાનો એ અર્થ નથી કે ભૌતિક પદાર્થો છૂટી જાય. પદાર્થનો ઉપયોગ છૂટતો નથી, માત્ર પદાર્થની પ્રતિબદ્ધતા છૂટી જાય છે. સાધક પદાર્થથી બંધાયેલો નથી રહેતો, પદાર્થની ચુંગાલમાં ફસાયેલો નથી રહેતો. ચેતનાના જાગરણનું આ મુખ્ય પરિણામ છે. તેમાં પદાર્થની ઉપયોગિતા બાકી રહે છે, પ્રતિબદ્ધતા સમાપ્ત થઇ જાય છે. સમસ્યાનું મૂળ પ્રતિબદ્ધતા છે, ઉપયોગિતા નથી. ધ્યાનથી ચેતનાને જાગૃત કરવાથી વ્યવહાર સીધો અને સરળ બને છે, વ્યવહારની આંટીઘૂંટી સમાપ્ત થઇ જાય છે, વ્યવહાર નિશ્છળ થઇ જાય છે. કોઇપણ તે વ્યક્તિને ખુલ્લા પુસ્તકની માફક સમજી શકે છે. તેજો-લેશ્યાનું ધ્યાન : નિષ્પત્તિઓ પરિવર્તનનો પ્રારંભ તેજો લેશ્યાનો રંગ બાળસૂર્ય જેવો લાલ છે. લાલરંગ નિર્માણનો રંગ છે. લાલ રંગનું તત્ત્વ છે - અગ્નિ. આપણી બધી જ સક્રિયતા, શક્તિ, તેજસ્વિતા, દીપ્તિ, પ્રવૃત્તિ - બધાનો સ્રોત છે લાલ રંગ. લાલ રંગ આપણું સ્વાસ્થ્ય દર્શાવનાર છે. ડોક્ટર સૌ પ્રથમ જુએ છે કે લોહીમાં શ્વેત કણ કેટલા છે અને લાલ કણ કેટલા છે. લાલ કણ ઓછા હોય તો તે બિમારીનું ધોતક છે. લાલ રંગમાં એવી ક્ષમતા છે કે તે બાહ્ય જગતમાંથી અંતર્જગતમાં લઇ જઇ શકે છે. જયાં સુધી કૃષ્ણ, નીલ અને કાપોત લેશ્યાઓ કામ કરે છે, ત્યાં સુધી માણસ અંતર્મુખી બની શકતો નથી, આધ્યાત્મિક થઇ શકતો નથી, અંતર્જગતની યાત્રા કરી શકતો નથી. તે આંતિરક સુખોનો અનુભવ કરી શકતો નથી. આપણે પ્રેક્ષાધ્યાનની પ્રક્રિયામાં આંતરિક સૂક્ષ્મ સ્પંદનોનો અનુભવ કરવાનું શીખીએ છીએ. ચિત્ત જ્યારે સૂક્ષ્મ હોય છે, ત્યારે તે સૂક્ષ્મ કંપનોને પકડવામાં સક્ષમ બની જાય છે. જયારે તેજસ્ શરીરની સાથે આપણો સંપર્ક સ્થાપિત થાય છે, ત્યારે રંગ દેખાવા લાગે છે. 48 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004807
Book TitlePrekshadhyana Leshya Dhyana
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1988
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy