________________
પ્રકાશકીય પ્રેક્ષા-ધ્યાન ધ્યાન-અભ્યાસની એક એવી પદ્ધતિ છે, જેમાં પ્રાચીન દાર્શનિકો પાસેથી મેળવેલ બોધ તેમજ સાધના - પદ્ધતિને આધુનિક વૈજ્ઞાનિક સંદર્ભોમાં પ્રતિપાદિત કરવામાં આવેલ છે. આ બંનેના તુલનાત્મક વિવેચનના આધાર પર આજે યુગ-માનસને એ રીતે પ્રેરિત કરી શકાય કે જેનાથી મનુષ્યના પાશવી આવેશો નાશ પામે તેમ જ વિશ્વમાં અહિંસા, શાંતિ અને આનંદની પ્રસ્થાપનાના મંગલમય લક્ષ્યની પ્રાપ્તિ થઈ શકે.
ધ્વાસ-પ્રેક્ષા, શરીર-પ્રેક્ષા, સમવૃત્તિ શ્વાસ-પેક્ષા, ચૈતન્ય-કેન્દ્ર પ્રેક્ષા, લેશ્યા-ધ્યાન, કાયોત્સર્ગ - આ બધી પ્રક્રિયાઓ છે રૂપાન્તરણની. પછી ઉપદેશ આપવાની જરૂર નહીં રહે કે આવા બનો, તેવા બનો, ધાર્મિક બનો, સ્વાર્થને છોડો, ભય અને ઈર્ષાને છોડો. આ ફકત ઉપદેશ છે. ફકત ઉપદેશ જ કામયાબ થતો નથી. જે ઉપાય સૂચવવામાં આવ્યા છે તેમને અમલમાં મૂકવા પડશે. સ્વય એક દિવસ એવો સ્પષ્ટ અનુભવ થવા માંડશે કે રૂપાન્તર થવા માંડ્યું છે. ધાર્મિક વૃત્તિનું જાગરણ થઈ રહ્યું છે, ક્રોધ અને ભય દૂર થવા માંડ્યા છે, માયા અને લોભના બંધન તૂટવા માંડ્યા છે. એ દોષોથી મુક્તિ પ્રાપ્ત કરવા જુદો પ્રયત્ન કરવાની જરૂરત જ નહીં રહે. તે આપોઆપ નષ્ટ થશે. આ દોષોને મૂળમાંથી નષ્ટ કરવાનો આ જ ઉપાય છે.
પ્રસ્તુત પુષ્પમાં વેશ્યા-ધ્યાનની ચર્ચા વિસ્તારથી કરવામાં આવી છે. પાછળના પુષ્યમાં આપણે ચૈતન્ય-કેન્દ્ર પ્રેક્ષાની વિસ્તારથી ચર્ચા કરી ચૂકયા છીએ. આપણે એ પણ જાણી લીધું છે કે ચૈતન્ય-કેન્દ્ર-પ્રેક્ષા વ્યક્તિના વિકાસ અને રૂપાન્તરની પ્રક્રિયા છે, ગ્રંથિ-તંત્રના સંશોધનની પ્રક્રિયા છે. ચૈતન્ય-કેન્દ્રપ્રેક્ષાની સાથે રંગોનાં ધ્યાનને વેશ્યા-ધ્યાન કહેવામાં આવે છે. રંગ ચિત્તને વધુ પ્રભાવિત કરે છે. આ દષ્ટિથી વેશ્યા-ધ્યાન અર્થાત્ ચમક્તા રંગોનું ધ્યાન ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. વ્યક્તિત્વને રૂપાન્તરિત કરવાની સૌથી વધારે શક્તિશાળી પરંતુ સરળ પ્રક્રિયા છે વેશ્યા-ધ્યાન.
સામાન્ય માન્યતા એવી છે કે વ્યક્તિનો સ્વભાવ નેથી બદલાતો, કે નથી બદલાવી શકાતો. પરંતુ આ વાત સાચી નથી. જો કોઈ પણ વ્યક્તિ દઢ નિશ્ચય સાથે વેશ્યા-ધ્યાનનો પ્રયોગ કરે તો તેનો સ્વભાવ આપમેળે જ બદલાઈ જાય છે. આપણે જે સ્વભાવ-પરિવર્તનની વાત ન સ્વીકારીએ, તો સાધના દ્વારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org