________________
રૂપમાં હોય છે. આ નીકળનાર ઊર્જાથી જ આભામંડળ નિર્મિત થાય છે. કોઈ પણ પદાર્થ, કોઈ પણ અસ્તિત્વ દુનિયામાં એવું નથી કે જેનાથી એ વિકિરણ ન થતું
હોય.
જીવંત પ્રાણીનું આભામંડળ તેજસ શરીર-સૂક્ષ્મ શરીરનું વિકિરણ છે. જીવંત પ્રાણીમાં વિધુત ચુંબકીય ઊર્જાની સાથે પ્રાણ ઊર્જા પણ નીકળતી રહે છે. આથી તેનું આભામંડળ તેજસ્વી, ગતિશીલ અને જયોતિર્મય હોય છે, જયારે નિર્જીવ પદાર્થમાં તે ફિકકું અને સ્થિર પ્રકાશ વાળું હોય છે. જીવંત પ્રાણીનું આભામંડળ એકરૂપ નથી રહેતું, બદલાતું જ રહે છે. નિર્મળતા, મલિનતા, સંકોચ અને વિસ્તાર – આ બધી જ અવસ્થાઓ તેમાં ઘટિત થતી રહે છે. એ એટલા માટે થાય છે કે તેને બદલનાર લેયા-તંત્ર, ભાવતંત્ર અંદર વિધમાન છે. પ્રાણી અને પદાર્થમાં એ મૌલિક અંતર છે કે પદાર્થમાં પરિવર્તન કરનાર નિયામક તત્વ હોતું નથી. અન્ય ઊર્જની માફક આ પ્રાણ-ઊર્જ પણ આપણા ચર્મ-ચક્ષુઓ દ્વારા જોઈ શકાતી નથી. ફકત અતીન્દ્રિય-જ્ઞાની “અવધિજ્ઞાની” જ તેને જોઈ શકે છે. છતાં પણ વૈજ્ઞાનિકો, ચિકિત્સકો અને યોગીઓ-એ બધા લોકો આ વિષયમાં એકમત છે કે આભામંડળનું વાસ્તવિક અસ્તિત્વ છે અને એના માધ્યમથી વ્યકિતની ભૌતિક, પ્રાણિક અને ચૈતસિક અવસ્થાનું ચિત્ર પ્રગટ થાય
શું આભામંડળ જોઈ શકાય છે. ?
શું આભામંડળ જોઈ શકાય છે? ખૂબ સારી રીતે જોઈ શકાય છે. પરંતુ આભામંડળનાં દર્શન દરેક વ્યકિતને થતાં નથી, શરીરની સ્થિરતાની સાધના કરનાર વ્યક્તિને થવા માંડે છે. કાયોત્સર્ગની પ્રગાઢ અવસ્થામાં આભામંડળનું દર્શન થવા માંડે છે.
ગાઢ ધ્યાનની અવસ્થામાં પણ આભામંડળ દેખી શકાય છે. અચાનક કોઈ કોઈ વખત એવું થાય છે કે ધ્યાન કરતાં કરતાં શરમ વિનાની પરંતુ આખા શરીરના આકારની કોઈ પ્રતિમા પ્રત્યક્ષ સામે આવીને જણે બેસી ગઈ છે. કોઈ કોઈ વખત ગાઢ અંધકારમાં હાથને જુઓ. હાથ દેખાશે નહીં, પરંતુ હાથના આકારની એક આભા દેખાવા લાગશે, આખો ને આખો વિધુ–મય હાથ દેખાવા માંડશે. અંધકાર સઘન હોવો જોઈએ.
૧. જુઓ :– પ્રેક્ષા-ધ્યાન : કાયોત્સર્ગ, પૃ. ૪૧
17 For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org