________________
બધી જ વસ્તુઓ પોતાના રંગના પ્રકાશને છોડીને બાકી બધા જ રંગોનાં પ્રકાશ-કિરણોને અવશોષિત કરી લે છે. પ્રાથમિક અને પૂરક રંગ
વાદળી, પીળો અને લાલ –આ ત્રણ પ્રાથમિક (મૂળ)રંગ કહેવાય છે. આ રંગોમાં યોગ્ય પ્રમાણમાં બીજા રંગો મેળવવામાં આવે તો બીજા ઘણા રંગો તૈયાર કરી શકાય છે. પરંતુ બીજા અન્ય રંગોમાં બીજા રંગો મેળવવાથી આ પ્રાથમિક રંગો પ્રાપ્ત કરી શકાતા નથી. જયારે બે રંગોને મેળવવાથી ત્રીજો રંગ પ્રાપ્ત થાય છે, ત્યારે તે બે રંગોને એક બીજા રંગના “પૂરક રંગો કહેવાય છે.
પ્રકૃતિનાં રહસ્યો અધિકાંશે પ્રકાશની ભાષામાં અંકિત છે. તેમનું ઉદ્ધાટન પ્રકાશની સાંકેતિક ભાષાને સમજવાથી થઈ શકે છે. અણુ-સિધ્ધાંત અને પ્રકાશના વાસ્તવિક સ્વરૂપનાં જ્ઞાનના આધારે હવે એ વાત સિદ્ધ થઈ ચૂકી છે કે પ્રત્યેક દ્રવ્ય કે પ્રત્યેક પ્રકારનો અણુ પોતાની આવિક સંરચનાના આધારે એક વિશેષ તરંગ-દીર્ઘતાને જ ઊર્જાના રૂપમાં ઉત્સર્જિત કે ગૃહીત કરે છે. તેના જ આધારે પ્રત્યેક દ્રવ્યનું વર્ણપટ્ટમાં એક નિશ્ચિત સ્થાન હોય છે. જે બીજા કોઈ દ્રવ્યનું નથી હોતું. આનું તાત્પર્ય એ થયું કે પ્રત્યેક પ્રકારનો અણુ પોતાનાં અસ્તિત્વ અને વ્યક્તિત્વને પોતાના વિશિષ્ટ હસ્તાક્ષર દ્વારા અભિવ્યક્ત કરવાની ક્ષમતા રાખે છે. અને તે હસ્તાક્ષર તેના પોતાના અનન્ય વર્ણના રૂપમાં હોય છે. બીજા શબ્દોમાં તે અભિવ્યક્તિ તે દ્રવ્ય-વિશેષ કે અણુવિશેષની આંગળીઓની છાપ બની જાય છે, જે ફક્ત તેના પોતાના વ્યક્તિત્વ (સંરચનાવિશેષ)ને જ વ્યક્ત કરે છે. તેના આધારે જયોતિ વૈજ્ઞાનિક અંતરિક્ષમાં સુદૂર આકાશ-પિંડો સુધી વિધમાન દ્રવ્યોને જાણી શકે છે. લાખો પ્રકાશ-વર્ષ દૂર રહેલી નિહારિકાઓ તથા તારાઓનો અભ્યાસ કરવામાં આનાથી ઘણી સહાય મળે છે. વર્ણક્રમ-વિજ્ઞાન (સ્પેક્ટ્રોસ્કોપી) દ્વારા પ્રાપ્ત તથ્થોના આધારે સમગ્ર વિશ્વનાં નિર્માણ અને સંરચના સંબંધી મહત્વપૂર્ણ સિદ્ધાંતોની સ્થાપના થઇ છે. સર જોસેફ નોર્મલ લોક્યર નામના વૈજ્ઞાનિકે સૂર્ય-રશ્મિઓના વર્ણક્રમના અભ્યાસથી જ એ તથ્યની શોધ કરી હતી કે સૂર્યમાં “હિલિયમ” નામે દ્રવ્ય વિધમાન છે. રંગ અને મનોવિજ્ઞાન
વૈજ્ઞાનિકોના મત અનુસાર પણ આપણું આખું એ જીવનતંત્ર રંગોના આધારે ચાલે છે. આજના મનોવૈજ્ઞાનિકો અને વૈજ્ઞાનિકોએ એવી શોધ કરી છે કે
12 For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org