SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ કે જ્યાં તરંગે અભિવ્યક્ત થાય છે. આપણા શરીરમાં સંપૂર્ણ વ્યવસ્થા છે. એક કેન્દ્ર છે જ્યાંથી ક્રોધના તરગે ઉત્પન્ન થાય છે. તે સ્નાયુઓ દ્વારા પસાર થાય છે અને એક કેન્દ્ર પર આવીને ત્યાંથી પ્રગટ થાય છે. આજનું વિજ્ઞાન આ બધી જ બાબતોને જાણે છે. પ્રત્યેક વૃત્તિના કેન્દ્રને તેણે શોધી કાઢયું છે. આ વૃત્તિના તરંગે કયા માર્ગે પસાર થાય છે તે પણ તે જાણે છે. અમુક વૃત્તિના કેન્દ્ર પર પ્રહાર કરી તેને નિષ્ક્રિય કરી નાખવાથી વૃત્તિ સમાપ્ત થઈ જાય છે. કર્મશાસ્ત્રીય ભાષામાં કહી શકાય કે, તે કર્મના વિપાકને નિષ્ફલ બનાવે છે. વિપાકને માર્ગ અવરુદ્ધ થવાથી તે વૃત્તિ કદી પ્રગટ થઈ શકતી નથી. એક નાડીને કાપી નાખવાથી ક્રોધ સમાપ્ત થઈ જાય છે. એક નાડીને કાપી નાખવાથી ઉત્તેજના સમાપ્ત થઈ જાય છે. તે વૃત્તિઓની અભિવ્યક્તિનાં કેન્દ્રો જ નિષ્ક્રિય થઈ જાય છે. જેમાંથી તરંગે પસાર થતા હતા, તે માર્ગો જ બંધ થઈ ગયા. અહીં એક વાત ઉપર ખાસ ધ્યાન આપવાનું છે કે આ પ્રક્રિયામાં તરંગેની અભિવ્યક્તિ સમાપ્ત થઈ જાય છે, પરંતુ તરંગની ઉત્પત્તિ બંધ થતી નથી. તેના પસાર થવાનો માર્ગ બંધ થયા છે, પરંતુ તેની ઉત્પત્તિનો સ્ત્રોત નષ્ટ થયો નથી. તે તો તે જ છે. તે જ રીતે સજીવ છે, સક્રિય છે. મનુષ્ય નથી બદલાયે, તેનું મારું બદલાઈ ગયું. માત્ર બહારથી બદલાઈ ગયે, અંદરથી કશુંય બદલાયું નથી. Jain Education International 29 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004806
Book TitlePrekshadhyana Chaitanya Kendra Preksha
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1988
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy