SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ લોકેને લાગુ પડે છે. કેટલીક વ્યક્તિઓ, જેમની ચેતના અત્યંત પ્રબુદ્ધ હોય છે, તેઓ તેમાં અપવાદ હોઈ શકે છે. સામાન્ય રીતે તે આ જ નિયમ છે કે ગ્રંથિતંત્રને બદલ્યા વગર મનુષ્યને બદલી શકાતો નથી. વૃત્તિ, પ્રવૃત્તિ, પુનરાવૃત્તિ કર્મની પ્રેરણુ વૃત્તિ છે. વૃત્તિથી પ્રેરાઈને મનુષ્ય અને પશુ કર્મ કરે છે. વૃત્તિઓ અનેક છે – આહારની વૃત્તિ, ભયની વૃત્તિ, કામ અને પરિગ્રહની વૃત્તિ, ક્રોધ અને માનની વૃત્તિ, માયા અને લોભની વૃત્તિ. આ વૃત્તિઓથી પ્રેરાઈને જ પ્રાણું કર્મ કરે છે. પ્રત્યેક કર્મની પાછળ આમાંથી કેઈપણ એક કે અનેક વૃત્તિઓની પ્રેરણા જોવા મળશે. વૃત્તિથી પ્રવૃત્તિ અને પ્રવૃત્તિથી પુનરાવૃત્તિ – આ ચક નિરંતર ચાલતું રહે છે. વૃત્ત જાગી કે પ્રવૃત્તિ શરૂ. હાથથી તમારો મારવાની પાછળ જે ક્રોધ-વૃત્તિ રહેલી છે, તેની જ શુદ્ધિ કરવાની છે. હાથની શુદ્ધિ શું થશે? હાથ ચાલતો જ રહેશે. મારવામાં હાથ નહીં ચાલે તો તે પ્રણામ કરવામાં ચાલશે, ભોજન કરવામાં ચાલશે. હાથની શુદ્ધિ કરવાની નથી. કર્મ, અકર્મ ત્યારે બને છે, જ્યારે વૃત્તિની શુદ્ધિ થાય છે. કર્મનાં સાધનની શુદ્ધિ થઈ શકે છે, પણ કર્મની પ્રેરણની શુદ્ધિ ફક્ત મનુષ્ય જ કરી શકે નમ્રતાને ભાવ પેદા થાય છે. અતિ પ્રાચીન સમયથી સાર્વભૌમ રૂપે સર્વત્ર આ પ્રથા પ્રચલિત છે. આસન મુદ્રા અને ભાવનાના સંયુકત પ્રભાવથી ગ્રંથિઓના હાર્મોની પરિશુદ્ધિ કરવાનું આ એક સારું ઉદાહરણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004806
Book TitlePrekshadhyana Chaitanya Kendra Preksha
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1988
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy