________________
લીએ છીએ–“સ્વયંને જુઓ. પિતાને જુઓ. પિતાને જોવા માટે જ પ્રેક્ષાધ્યાનને અભ્યાસ કરે.” આ સૂત્રનું પુનરાવર્તન એટલા માટે કરીએ છીએ કે આપણી અંદર પ્રતિસાત-ચેતનાનું નિર્માણ થાય.
જ્યાં સુધી પ્રતિસ્ત્રોતની ચેતનાનું નિર્માણ નથી થતું, આપણે પરિસ્થિતિને મુખ્ય અને આપણું અસ્તિત્વને ગૌણ માનીને ચાલીએ છીએ. જ્યારે પ્રતિસ્ત્રોત–ચેતનાનું નિર્માણ થાય છે, ત્યારે વ્યક્તિની અગત્ય વધી જાય છે અને પરિસ્થિતિ ગૌણ થઈ જાય છે. આ રીતે પ્રતિસ્રોતની ચેતના વડે પરિસ્થિતિઓને સમજવા અને એને સામનો કરવા માટે આપણે શક્તિમાન બનીએ છીએ, અને તેના પર આપણું પ્રભુતા સ્થાપિત કરી શકીએ છીએ. પરિવર્તન
શરીર–પ્રેક્ષામાં વર્તમાનની ઘટનાઓને જાણવાની સાથે સાથે તેમનું પરિવર્તન અને પરિણમન પણ થઈ જાય છે. લાગે છે કે ભાર ઘટી રહ્યો છે, શરીર હલકું બની રહ્યું છે. ધ્યાન કરવા બેસીએ છીએ ત્યારે શરીર ભારે ભારે લાગતું હોય છે, ઊઠીએ છીએ તે હલકા થઈ જઈએ છીએ. ધ્યાન કરતાં પહેલાં ક્યારેક ક્યારેક લાગે છે કે મગજ ભારે બની ગયું છે. ઊઠીએ છીએ તે લાગે છે કે બિલકુલ હળવું ફૂલ બની ગયું છે, ભાર–શૂન્ય બની ગયું છે, તાણમુક્ત બની ગયું છે. તરત પરિણામ અને તરત લાભ મળે છે. શરીર–પ્રેક્ષાનું મૂલ્ય એટલા માટે છે કે તે તરત લાભને અનુભવ કરાવે છે. તેનાથી આપણી ચેતના જાગ્રત થાય છે,
11
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org