________________
બારીઓને ખોલી નાખવાં પડશે. બધું ખૂલી જશે ત્યારે આત્માને સાક્ષાત્કાર થશે. આપણું ચૈતન્યના કણ-કણ ઉપર, ચૈતન્યના પ્રત્યેક પ્રદેશ ઉપર અનંત અનંત કર્મના પરમાણુએ ચૂંટેલા છે. જે ચંચળતાના પરમાણુઓ ચૂંટેલા છે તે આપણી ચંચળતાને વધારે છે. આ બધાં ચક્રને જ્યાં સુધી આપણે તેડી નહીં નાખીએ અને તેમને પ્રકંપિત કરી નહીં શકીએ ત્યાં સુધી આત્માને સાક્ષાત્કાર નહીં થાય. આત્માને સાક્ષાત્કાર કરવા માટે આપણે સ્થળમાંથી સૂક્ષ્મમાં પ્રયાણ કરવું પડશે. સ્થૂળથી નીકળી સૂક્ષ્મ સુધી પહોંચીએ. તમે પહેલી જ ક્ષણમાં ધૂળમાંથી સૂફમ સુધી પહોંચી જવા ઈચ્છે છે, ઘણી અજબ વાત છે. આજે જ અભ્યાસ શરૂ કર્યો અને આજે જ સૂમ સુધી પહોંચી જવા ઈચ્છે છે! પહેલી ક્ષણમાં તે યાત્રા પ્રારંભ કરી અને બીજી ક્ષણે જ મંજિલ સુધી પહોંચી જવા માગે છે, આ વાત સંગત નથી. એવું કદિ ન બને. દરેક યાત્રાને એક કમ હોય છે. વાહન ભલે ગમે તેટલું ઝડપી કેમ ન હોય, ભલે ને કેટલી ય શક્તિથી ચાલનાર કેમ ન હોય, તેય તે કમ ચાલશે જ, સમય લાગશે જ, રેલગાડીને થોડા કલાક લાગે છે, વિમાનને
ડીક મિનિટો લાગી શકે અને તેમનાથી વધુ નબળું વાહન હોય-બળદગાડી હોય તે ઘણું વધારે કલાક લાગી શકે છે. પણ કઈને કઈ કમ તે હોય જ છે. એવું નથી થતું કે વિમાન પર પહેલી ક્ષણે ચડ્યા અને બીજી ક્ષણે લંડન પહોંચી ગયા.
આપણી જાણવા અને જવાની યાત્રાને, આત્માના શુદ્ધ
55
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org