________________
કાર્બન વગેરે અશુદ્ધ દ્રવ્યોને બહાર ફેંકી શકાશે અને શુદ્ધ રક્ત સમગ્ર શરીરમાં પરિભ્રમણ કરી શકશે. જે પ્રાણવાયુ નહિ મળે તે રક્ત વિકૃત રહેશે અને આખાયે શરીરને વિકૃત કરી નાખશે. પ્રાણવાયુ રક્તશુદ્ધિનું સાધન છે, અને શુદ્ધ રક્ત આખાયે શરીરને ગતિ આપનાર છે. પ્રાણની સાથે તેને ગાઢ સંબંધ છે. પ્રાણવાયુ રકતના માધ્યમથી પ્રાણને પણ ઉત્તેજિત કરે છે, સક્રિય બનાવે છે.
છોડ છે, જે પાણીનું ગ્ય સિંચન મળે તે જ તે પ્રકુલિત બની લહલહાશે. એ જ રીતે પ્રાણવાયુનું પર્યાપ્ત સિંચન મળવાથી પ્રાણને છોડ પણ પ્રકુલ્લિત બની ઊઠે છે. ચોગ્ય સિંચન ન મળવાથી તે છોડ કરમાઈ જાય છે. તેવી જ રીતે પર્યાપ્ત પ્રાણ વિના માનવી નિષ્માણ અને નિષ્ક્રિય બની જાય છે.
જે અવયવમાં પ્રાણવાયુ પહોંચી નહીં શકે, રક્ત-શુદ્ધિ નહીં થાય, ત્યાં શુદ્ધિના અભાવે ગંદકી જામતી જશે. જે પ્રાણાયામને જાણે છે તે સૌથી પ્રથમ એ પ્રયત્ન કરે છે કે ફેફસાંમાં અધિકાધિક વાયુ કેવી રીતે પહોંચાડી શકાય, લાંબે શ્વાસ કેવી રીતે લઈ શકાય.
પ્રાણવાયુને બરાબર લેવાનું સાધન છે પ્રાણાયામ. ત્રણે વાત એક સાથે સંકળાયેલી છે–પ્રાણ, પ્રાણવાયુ અને પ્રાણાયામ. પ્રાણાયામ વગર પ્રાણવાયુ સમ્યગ્ર રીતે ગ્રહણ નથી થતું અને પ્રાણવાયુ વગર પ્રાણુનું સમ્યમ્ રીતે ઉદ્દીપન થતું નથી. એટલે છેવટે આપણે પ્રાણાયામ પર જ આવી જઈએ છીએ. પ્રાણાયામ એવું મહત્ત્વપૂર્ણ સાધન છે
11
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org