SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ પણ અલ્પ માત્રામાં હોય છે. ત્યાં આહારને અર્થ છે – પ્રાણ-તત્વને આહાર. જીવ જીવિત રહેવા માટે હમેશાં બહારથી આહરણ કરે છે, તે નિરંતર પ્રાણ-ઊજ લે છે. આ આહરણ કદી અટકતું નથી. ઊર્જા અને પ્રાણુના આહરણનું સશક્ત માધ્યમ છે શ્વાસ. તે નિરંતર ચાલ્યા કરે છે, તે આહરણ પણ નિરંતર ચાલ્યા કરે છે. શ્વાસનો સંબંધ છે પ્રાણ સાથે, પ્રાણને સંબંધ છે સૂમ પ્રાણ સાથે અને સૂક્ષમ પ્રાણને સંબંધ છે સૂમ શરીર, કર્મ શરીર સાથે. શ્વાસ અને પ્રાણ: શ્વાસ અંદર જાય છે, તેની સાથે કેટલાંયે રાસાયણિક દ્રવ્ય અંદર જાય છે. પ્રાણ-તત્ત્વ પણ અંદર જાય છે અને પ્રાણતત્ત્વનું ઊર્જા-રૂપે પરિણમન થાય છે. આપણા જીવનનો સમૂળ કમ – આપણું સર્વ પ્રવૃત્તિઓ પ્રાણ-શક્તિ કે પ્રાણઊજ દ્વારા સંચાલિત થાય છે. જે પ્રાણની ઊર્જા ન હોય તે ચેતના ટકી જ નહિ શકે. બેલવું, ચાલવું, જોવું ઈન્દ્રિયે, મન અને બુદ્ધિનું ક્રિયાશીલ થવું–આ બધું જ પ્રાણ-ઊજનું કાર્ય છે. તેમની જેટલી સક્રિયતા એટલે જ પ્રાણને પ્રવાહ વેગવાન. શરીર, મન અને ઈન્દ્રિયે અચેતન છે; પ્રાણ-ઊજને ચેગ પ્રાપ્ત કરી તે બધાં સચેતન બની જાય છે. આપણે જેટલો ઊંડો શ્વાસ લઈએ છીએ તેટલી જ વધુ પ્રાણશક્તિ પ્રાપ્ત થાય છે. જ્યારે આપણે શ્વાસ-પેક્ષા દ્વારા શ્વાસ-દર્શન કરીએ છીએ, ત્યારે પ્રાણશક્તિ-અધિક 9 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004804
Book TitlePrekshadhyana Shwas Preksha
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1988
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy