SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ કરીએ છીએ. જેમ જેમ તેને અભ્યાસ દઢ થાય છે, વધતે જાય છે તેમ તેમ સ્થિરતા પ્રાપ્ત થતી જાય છે. જ્યારે તે નાડીતંત્ર પર નિયંત્રણ મુકાય છે, ત્યારે સ્વયંચાલિત નાડી સંસ્થાન પણ પિતાની મેળે જ સ્થિર થવા લાગે છે હૃદયના ધબકારા પણ ધીરે ધીરે ઓછા થતા જાય છે. શ્વાસ પણ ખૂબ મંદ થવા લાગે છે. તેની સંખ્યા ઓછી થતી જાય છે. રુધિરાભિસરણની ક્રિયા પણ મંદ થઈ જાય છે. પ્રાણવાયુ કે ઓકસીજનને વપરાશ પણ ઓછું થઈ જાય છે. બધી જ અપેક્ષા ઓછી થઈ જાય છે અને અકલ્પિત શાંતિનું વાતાવરણ અંતરમાં નિર્માણ પામે છે. I શરીર પર પ્રભાવ કાયેત્સર્ગને શરીર પર પ્રભાવ પડે છે ત્યારે કહી શકીએ કે કાત્સગ દ્વારા લગભગ બધી જ નાડીતંત્રીય કેશિકાઓ પ્રાણ-શક્તિથી અનુપ્રાણિત થઈ જાય છે. એક રીતે કહીએ તે તેને એ અવકાશ પ્રાપ્ત થાય છે કે જેના દ્વારા તે હંમેશાં તેના પર પડનાર ભારથી મુક્ત રહે છે. રાતદિવસ મગજ સુધી પહોંચનાર સંવેદનો તથા પ્રવૃત્તિયુક્ત ગતિ-વિધિથી થકવી દેનાર કાર્યથી અકલ્પનીય વિશ્રાન્તિને અનુભવ થાય છે. એટલા માટે આપણને આશ્ચર્ય ન થવું જોઈએ કે દીર્ઘકાલીન અશાંત નિદ્રા કરતાં સ્વલ્પકાલીન કાયેત્સર્ગ વ્યક્તિને વધારે કૂર્તિ અને શક્તિ પ્રદાન કરે છે. ઉપર્યુક્ત વાતથી સ્પષ્ટ થાય છે કે કાત્સર્ગને પ્રગ કરતી વખતે નિદ્રા લેવી તે પ્રગની વિરુદ્ધની વાત છે. પરંતુ 58 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004803
Book TitlePrekshadhyana Kayotsarga
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1989
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy