SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ કરણ ન થાય તે આપણે અંદર સુધી પહોંચી શકતા નથી. કાત્સગ બે રીતે કરી શકાય છે? બહારથી અંદરની તરફ અને અંદરથી બહારની તરફ આવીને. જ્યારે બહારથી ચાલીએ છીએ ત્યારે સૌથી પ્રથમ હાથ, પગ, વાણું અને ઈન્દ્રિઓને સંયમ કરે પડે છે. જ્યારે આપણે અંદરથી ક્રિયા કરીએ, ત્યારે એવી મુદ્રામાં બેસવું પડશે જેથી મનની દિશા અને પ્રાણુની ધારા બદલાઈ જાય. મન અને પ્રાણની બધી જ ઊર્જા અંદરની તરફ વહેવા લાગે. જે મન અંતરમાં જ લીન થઈ જાય, જે અસ્તિત્વ (ચૈતન્ય)ની સહેજ પણ ઝાંખી થઈ જાય તે શરીરના સઘળા અવય સ્વયમેવ શાંત થઈ જશે, પ્રયત્ન કરવાની સહેજ પણ આવશ્યકતા કે અપેક્ષા રહેશે નહીં. જ્યારે હાથ, પગ અને વાણને સંયમ–શિથિલીકરણ થવા પામે છે, ત્યારે ઇન્દ્રિયને તનાવ તદ્દન ઓછું થઈ જાય છે. તેમાં ઉત્પન્ન થતા આકાંક્ષાના તરંગ પણ વિલય પામશે, ઓછા થશે. ત્યારે અધ્યાત્મની યાત્રાને પ્રારંભ થશે. અધ્યાત્નની યાત્રા શરૂ કરવાની સૌથી પ્રથમ શરત છે – કાત્સર્ગ. 1 શક્તિની સુરક્ષા સાધનામાં કાત્સર્ગનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. કાર્યોત્સર્ગ કરવાનું સૂચન વારંવાર કરવામાં આવ્યું છે. શા માટે ? તેને ઉદેશ્ય શું છે? તેને ઉદેશ્ય એ છે કે શક્તિને જે નકામે વ્યય થઈ રહ્યો છે તેને રોકવામાં આવે. શરીર દ્વારા જે શક્તિ ખર્ચાઈ રહી છે, વાણી દ્વારા જે શક્તિ ખર્ચાઈ રહી છે, મગજની જે શક્તિને વ્યર્થ જ ખર્ચ થઈ રહ્યો છે તેને કોન્સર્ગ દ્વારા બચાવી શકાય. 44 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004803
Book TitlePrekshadhyana Kayotsarga
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1989
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy