SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ છે. જે એક પ્રકારના માંસપેશી સમૂહને લાંબા સમય સુધી સ્થિર–સંકુચિત (તળાવ) અવસ્થામાં રાખવામાં આવે છે તે લેહી-ભ્રમણમાં અવરોધ થાય છે, જેથી થાકને કારણે શરીરમાં ઉત્પન્ન થતાં રસાયણે, મુખ્ય રૂપે લેટિક એસીડ (દુગ્ધાશ્ત) જમા થઈ જાય છે જે સામાન્ય રીતે લેહી–ભ્રમણ યોગ્ય રીતે થાય તે ત્યાંથી દૂર થઈ જાય છે, અને જમા થયેલાં રસાયણેના કારણે વ્યક્તિને પીડા, અક્કડતા કે થાકને અનુભવ થાય છે. એટલા માટે માંસપેશીઓમાં દુગ્ધાન્સ વગેરે રસાયણેના સંગ્રહને રોકવા માટે તેમાં રીતે લેહીનું ભ્રમણ થવું અત્યંત જરૂરી છે. માંસપેશીઓના ક્રમિક સંકેચન-વિસ્તરણ દ્વારા કરવામાં આવેલ લયબદ્ધ આસન વગેરે વ્યાયામથી લેહી પરિભ્રમણને યોગ્ય બને છે તથા પીડા, થાક વગેરે ખૂબ ઓછી થાય છે. બેસવાની, ઊભા રહેવાની વગેરે યોગ્ય મુદ્રા અને આસનને, માંસપેશીઓને તનાવ–મુક્ત રાખવાની સાચી ચાવી કહી શકાય. આપણા શરીરને હરેક ક્ષણે ગુરુત્વાકર્ષણને સામને કરે પડે છે. બેસવું, ઊભા રહેવું વગેરેમાં ખેતી ટેવને કારણે બેટી મુદ્રા કે આસનથી માંસપેશીઓમાં ખોટું ખેંચાણ ઉત્પન્ન થાય છે કે તેની સંરચનામાં બગાડ પણ થઈ શકે છે. ૧. આપણું શરીરની દ્વિશિરપેશીઓ (biceps) અને વિશિષ્ઠ માંસપેશીઓ (triceps) પરસ્પરના પ્રતિદ્વન્દી સમુહનાં ઉદાહરણ છે. જ્યારે દ્વિશિરપેશી તંગ થાય છે ત્યારે ત્રિશિરષ્ક પેશી શિથિલ થાય છે અને જ્યારે ત્રિશિરષ્ક પેશી તંગ થાય છે ત્યારે દિશિરપેશી શિથિલ થાય છે. 24 For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004803
Book TitlePrekshadhyana Kayotsarga
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1989
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy