________________
અનુપમ વરદાન : પ્રેક્ષાધ્યાન
વર્તમાન યુગ અધ્યાત્મ અને વિજ્ઞાનના સમન્વયના યુગ છે. આજે યાગ અને અધ્યાત્મ-સાધનાનું મહત્ત્વ વૈજ્ઞાનિક સિદ્ધાંતાના સૌંદર્ભમાં ખૂબ વધી ગયું છે. યોગ અને અધ્યાત્મ-સાધનાની ચર્ચા આજે ફક્ત ભારતમાં જ નહીં, પર`તુ સમસ્ત વિશ્વમાં થઈ રહી છે. ફક્ત ચર્ચા જ નહિ પરતુ તેના પ્રયાગ અને પરીક્ષણ પણ ઠેર ઠેર જોવા મળે છે. યોગસાધનાની લોકપ્રિયતા તેમજ પ્રભાવે એને જીવન-વિજ્ઞાનનું અભિન્ન અંગ બનાવી દીધુ છે.
ખૂબ વસ્તીવાળાં શહેરમાં અવરજવર, મેાંધવારી, દૈનિક જરૂરિયાતાની વસ્તુએ પ્રાપ્ત કરવાની મુશ્કેલી, પાણી અને હવાનું પ્રદૂષણું વગેરે સમસ્યાઓએ વ્યક્તિનુ જીવન સતત તનાવભર્યું કરી દીધુ છે. એ પણ એટલું જ સાર્વત્રિક સત્ય છે, તથ્ય છે કે માનસિક તનાવ આધુનિક જીવનપદ્ધતિનું એક અભિન્ન અંગ બની ગયું છે. ઘણી જ વ્યક્તિઓ નિરાશ, હતાશ થઈ એલ. એસ. ડી. વગેરે માદક પદાર્થોથી તેનુ સમાધાન શોધવાના નિષ્ફળ પ્રયાસ કરી રહી છે. તેનાથી તે સમસ્યાની આગ અધિક ભભૂકી ઊઠી છે. તેના જ પરિણામે મનુષ્યના શરીરમાં અનેક પ્રકારના અસાધ્ય રોગો, પાગલપણું અને આત્મહત્યાની પ્રતિવર્ષ વધતી જતી સ`ખ્યા એ ચિંતાના વિષય થઈ ગયા છે.
આ બધી જ સમસ્યાઓનું સમાધાન આપણી અંદર જ મેાજુદ છે, જે બીજી ઔષધિઓ કરતાં વધારે શક્તિશાળી છે અને તે છે ધ્યાનાભ્યાસ. જો આપણી અંદર રહેલી આ શક્તિને યાગ અને
3
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org