________________
૪. વૈરાગ્ય-ભાવના અનાસક્તિ, અનાકાંક્ષા અને અભયને અભ્યાસ.
મનુષ્ય જેના માટે ભાવના કરે છે, જે અભ્યાસનું પુનરાવર્તન કરે છે, તે રૂપમાં તેના સંસ્કાર આકાર પામે છે. આ આત્મસંમેહનની પ્રક્રિયા છે, તેને જપ પણ કહેવામાં આવે છે. આત્માની ભાવના કરનાર આત્મામાં સ્થિત થઈ જાય છે. “સોહં'ના જપને મર્મ પણ આ જ છે. “અમની ભાવના કરવામાં “અહંત' થવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. કેઈ વ્યક્તિ ભક્તિથી ભાવિત થાય છે, કેઈ બ્રહ્મચર્યથી અને કઈ સત્સંગથી. અનેક વ્યક્તિ જુદી જુદી ભાવનાઓથી ભાવિત થાય છે. જે કઈ પણ કુશળ કર્મથી પિતાને ભાવિત કરે છે તેની ભાવના તેને લક્ષ્ય તરફ લઈ જાય છે..
ભાવના નૌકા સમાન છે. નૌકા યાત્રીને કિનારા સુધી લઈ જાય છે, તેમ ભાવના પણ સાધકને દુઃખની પેલે પાર પહોંચાડે છે.
પ્રતિપક્ષની ભાવનાથી સ્વભાવ, વ્યવહાર અને આચરણને પણ બદલી શકાય છે. મેહકર્મના વિપાક પર પ્રતિપક્ષભાવનાનું નિશ્ચિત પરિણામ હોય છે. ઉપશમની ભાવનાથી ક્રોધ, મૃદુતાની ભાવનાથી અભિમાન, જતાની ભાવનાથી માયા અને સંતોષની ભાવનાથી લાભને બદલી શકાય છે. રાગ અને દ્વેષના સંસ્કાર ચેતનાનો મૂછથી થાય છે અને તે મૂછ ચેતના પ્રત્યે જાગરૂકતા લાવીને જ તેડી શકાય છે. પ્રતિપક્ષ ભાવના ચેતનાની જાગૃતિને ઉપક્રમ છે. એટલા માટે તેનું નિશ્ચિત પરિણામ હોય છે.
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org