________________
પ્રેક્ષા સંયમ છે, ઉપેક્ષા સંયમ છે. તમે પૂર્ણ એકાગ્રતાથી તમારા લક્ષ્યને જોશે, આપમેળે જ સંયમ થઈ જશે. પછી મન, વચન અને શરીરની માંગ તમને વિચલિત નહીં કરી શકે. તેની સાથે ઉપેક્ષા–મન, વચન અને શરીરને સંયમ પણ પિતાની મેળે જ થઈ જાય છે. - સંયમશક્તિને વિકાસ આ પ્રક્રિયાથી કરી શકાય છે, જે કરવાનું છે કે છેડવાનું છે તેની તમે ધારણ કરે, તેના પર મનને પૂર્ણ એકાગ્રતાથી કેન્દ્રિત કરે. નિશ્ચયની ભાષામાં તેને બેલી બોલીને તેનું પુનરાવર્તન કરો. પછી ઉરચારને મંદ-ધીમે કરતા કરતા તેને માનસિક સ્તર પર લઈ જાઓ. તે પછી જ્ઞાનતંતુઓ Sensory Nerves અને કર્મતંતુઓ (Moter Nerves)ને કાર્ય કરવાનો નિર્દેશ કરે. પછી ધ્યાનસ્થ અને તન્મય થઈ જાઓ. આ પ્રક્રિયા દ્વારા આપણે શક્તિના તે સોતને પ્રવાહિત કરવામાં સફળ થઈશું, જ્યાં સહન કરવાની ક્ષમતા સ્વાભાવિક હેય છે.
46 Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org