________________
| ૭. શરીર–પ્રેક્ષા : સાધનાની દષ્ટિએ શરીરનું ખૂબ જ મહત્વ છે. તે આત્માનું કેન્દ્ર છે. તેના માધ્યમથી જ ચૈતન્ય અભિવ્યક્ત થાય છે. ચૈતન્ય પર આવેલાં આવરણ દૂર કરવા માટે તેને સશક્ત માધ્યમ બનાવી શકાય છે.
શરીરને સમગ્ર દષ્ટિથી જોવાની સાધનાપદ્ધતિ બહુ જ મહત્ત્વપૂર્ણ છે. શરીરના ત્રણ ભાગ છેઃ અધેભાગ, ઊર્ધ્વભાગ, તીર્યભાગ.
સાધક આંખને સંયત કરી શરીરની પ્રેક્ષા કરે. તેની પ્રેક્ષા કરનાર તેના ત્રણે ભાગને જાણી લે છે.”
“જે સાધક વર્તમાન ક્ષણમાં શરીરની અંદર થનાર સુખ-દુઃખની વેદનાને (દ્રષ્ટાભાવથી) જુએ છે, વર્તમાન ક્ષણની ખોજ કરે છે, તે જ સાધક અપ્રમત્ત બની શકે છે.”
શરીરપ્રેક્ષાની આ પ્રક્રિયા અંતર્મુખ થવાની પ્રક્રિયા છે. સામાન્ય રીતે બહારની તરફ પ્રવાહિત થનાર ચૈતન્યની ધારાને અંદરની તરફ પ્રવાહિત કરવાનું પ્રથમ સાધન સ્થળ શરીર છે. શરીરપ્રેક્ષાથી પહેલાં શરીરના બહારના ભાગને
૧. આયારો ૧/૧૨૧ ૨. એજન ૫/૨૧
Jain Education International
For Pri2& & Personal Use Only
www.jainelibrary.org