________________
શ્વાસને મંદ, દીર્ઘ કે સૂક્ષ્મ કરવાથી મન શાંત થાય છે. તેની સાથે સાથે આવેશ પણ શાંત થાય છે. કષાય પણ શાંત થાય છે. ઉત્તેજના અને વાસના પણ શાંત થાય છે. શ્વાસ જ્યારે ટૂંકા હાય છે, ત્યારે વાસના ઉત્તેજિત થાય છે, ઉત્તેજના વધે છે, કષાય જાગૃત થાય છે. આ બધા જ દાષાનું વાહન શ્વાસ' છે. જ્યારે એમ માલૂમ પડે કે ઉત્તેજના આવવાની શરૂઆત થાય છે, ત્યારે તરત જ શ્વાસને દીકરી દો. દીર્ઘ શ્વાસ લેવાના શરૂ કરી દો તે આવતી ઉત્તેજનાને પાછી ફેરવી શકા છે, રેકી શકા છે. તેનું કારણ એ છે કે તેને (કષાય, વાસનાને) શ્વાસનું વાહન પ્રાપ્ત થતું નથી. વગર આલ અને કોઈપણ ઉત્તેજના કે વાસના પ્રગટ થઈ શકતી જ નથી.
ધ્યાનની સાધના કરનાર સાધક મનની સૂક્ષ્મતા પકડવાના અભ્યાસી બની જાય છે. તે તરત જ જાણી શકે છે કે મસ્તિષ્કના અમુક કેન્દ્રમાં કાર્ય વૃત્તિ બહાર આવવા પ્રયત્ન કરી રહી છે. તે તરત જ દીધ` શ્વાસના પ્રયાગ પ્રારંભી દે છે. બહાર આવવાની જોર પકડતી વૃત્તિ તરત જ શાંત થઇ જાય છે. સાધક તે વૃત્તિઓની ઉત્તેજનાના શિકાર બનતા નથી.
શ્વાસ વર્તમાનની વાસ્તવિકતા છે, તેને જોવાના અથ છે, સમભાવથી જીવવું, વીતરાગતાની ક્ષણમાં જીવવું, રાગદ્વેષમુક્ત ક્ષણમાં જીવવું. જે વ્યક્તિ શ્વાસને જુએ છે તેના તનાવ સ્વયં વિસર્જિત થઈ જાય છે.
Jain Education International For Private &tt rsonal Use Only www.jainelibrary.org