________________
જે જન્મને જુએ છે તે મૃત્યુને જોઈ શકે છે. જે મૃત્યુને જુએ છે તે દુઃખને જોઈ શકે છે.
જે દુઃખને જુએ છે, તે કોધથી લઈને દુઃખપર્યત થનાર આ ચકચૂડને તેડી નાંખે છે.”૧
“મહાન સાધક અકર્મ (ધ્યાનસ્થ) થઈને, મન, વચન અને શરીરની ક્રિયાને નિરોધ કરી જાણે અને જુએ છે.”
જે જુએ છે, તેને માટે કેઈ ઉપદેશ નથી.૩
જે જુએ છે તેને કોઈ મુશ્કેલી થાય છે કે નહીં? તે જવાબ મળે છે–“નથી થતી.૪
જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે વિચારતા નથી, અને જ્યારે વિચારીએ છીએ ત્યારે જતા નથી. વિચારોની જે ઘટમાળ ચાલે છે તેને રોકવાનું સૌથી પ્રથમ અને સૌથી અંતિમ સાધન તે–જેવું છે. કલ્પનાના ચક્રવ્યુહને તેડવાનો પણ સૌથી સશક્ત ઉપાય–જેવું જ છે. તમે સ્થિર થઈને અનિમેષ ચક્ષુથી કઈ પણ વસ્તુને જુએ, વિચાર તરત જ સમાપ્ત થઈ જશે, વિકલ્પશૂન્ય થઈ જવાશે. તમે સ્થિર થઈને ઊંડાણથી તમારી અંદર જુઓ, તમારા જ વિચારનું નિરીક્ષણ કરે કે શરીરનાં પ્રકંપનેને જુઓ તે તમે અનુભવશે કે વિચાર તદ્દન સ્થગિત થઈ ગયા છે અને વિકલ્પશૂન્ય છે. અંદરનાં ઊંડાણોનું નિરીક્ષણ કરતાં
૧. આયારો ૩/૮૩ ૨. એજન ૨/૩૭ ૩. એજન ૩/૧૮૫ ૪. એજન ૩૮૩
14 For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org